For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'જો હિજાબને મંજૂરી ન હોય તો શીખ પાઘડી, હિન્દુના તિલકનું શું...', શશિ થરૂરના ટ્વિટ પર વિવાદ

કર્ણાટકમાં હિજાબનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે આ મામલે ફરી ટ્વિટ કર્યું છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 04 ફેબ્રુઆરી : કર્ણાટકમાં હિજાબનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે આ મામલે ફરી ટ્વિટ કર્યું છે. કોંગ્રેસ સાંસદ શશિ થરૂર પર કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ વિવાદનું રાજનીતિકરણ કરવાનો આરોપ પહેલાથી જ લાગ્યો છે. હવે કોંગ્રેસના નેતાઓએ કહ્યું છે કે, ભારતમાં ધાર્મિક સ્વરૂપો પર પ્રતિબંધ મૂકતો કોઈ કાયદો નથી.

શશિ થરૂરે મણિપાલ યુનિવર્સિટીના પ્રમુખ મોહનદાસ પાઈને જવાબ આપતા કહ્યું કે, શિખ પાઘડી અથવા ગળામાં ક્રોસ અથવા કપાળ પર તિલક જેવા ધાર્મિક સ્વરૂપો પર પ્રતિબંધ મૂકતો કોઈ કાયદો નથી, જે તમામ ફ્રાન્સની સરકારી શાળાઓમાં પ્રતિબંધિત છે, પરંતુ ભારતમાં તેની મંજૂરી છે. ઈન્ફોસિસના ભૂતપૂર્વ ડિરેક્ટર મોહનદાસ પાઈ કહે છે કે, તમામ શાળાઓમાં એકતા બનાવવા માટે એક સામાન્ય કોડ છે. જો લોકો કંઈક પહેરવા માંગતા હોય, તો તેઓએ અરજી કરવી પડશે.

'શું પહેરવું એ છોકરીઓને નક્કી કરવા દો?'

'શું પહેરવું એ છોકરીઓને નક્કી કરવા દો?'

શશિ થરૂરે ટ્વીટ કર્યું હતું કે, "ભારતની એ તાકાત રહી છે કે દરેક વ્યક્તિ જે ઈચ્છે તે પહેરવા માટે સ્વતંત્ર છે. જો હિજાબને મંજૂરી નથી, તો શીખ પાઘડીઓ વિશે શું?હિન્દુના કપાળ પરના તિલકનું શું? ખ્રિસ્તી ક્રોસ? આ કૉલેજ માટે યોગ્ય નથી, છોકરીઓને કૉલેજમાં જવા દેવી જોઈએ, તેમને ભણવા દો, તેમને પોતાનો નિર્ણય લેવાનોઅધિકાર છે.

'મહેરબાની કરીને રાજકારણ કરવાનું બંધ કરો...'

'મહેરબાની કરીને રાજકારણ કરવાનું બંધ કરો...'

શશિ થરૂરના ટ્વીટના જવાબમાં મોહનદાસ પાઈએ જણાવ્યું હતું કે, કૃપા કરીને રાજનીતિ કરવાનું બંધ કરો. શશિ થરૂર તમામ શાળાઓમાં એકતા બનાવવા માટે એકકોમન કોડ છે. તેને પહેરવાથી તે કોડનો ભંગ થાય છે!

જો લોકોએ કંઈક બીજું પહેરવું હોય તો તેઓએ સરકારને કોડ બદલવાની અરજી કરવી જોઈએ, રાજકારણ ન કરવુંજોઈએ! કેરળની સરકારે અન્ય કોઈ કેસમાં તેને મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે.

જાણો શું છે કર્ણાટકનો હિજાબ વિવાદ?

જાણો શું છે કર્ણાટકનો હિજાબ વિવાદ?

કર્ણાટકમાં હિજાબ વિવાદ એક મોટા વિવાદમાં ફેરવાઈ ગયો છે, ઘણી કોલેજોએ ગુરુવારના રોજ (04 જાન્યુઆરી) હિજાબ પહેરેલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો ઇન્કારકર્યો હતો.

કર્ણાટકના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ જણાવ્યું હતું કે, શાળાઓમાં કોઈપણ ધાર્મિક વસ્ત્રો, પછી તે હિજાબ હોય કે કેસરી શાલ પહેરવાની છૂટ આપવામાં આવશેનહીં.

ગૃહમંત્રીએ કહ્યું કે, શાળા એ એવી જગ્યા છે, જ્યાં તમામ ધર્મના બાળકોએ સાથે મળીને શીખવું જોઈએ અને એવી ભાવનાને આત્મસાત કરવી જોઈએ કે, આપણેઅલગ નથી અને બધા ભારત માતાના બાળકો છે."

English summary
'If hijab is not allowed then What about Sikh turban, Hindu's Tilak ... ', controversy over Shashi Tharoor's tweet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X