For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુલાયમની વિરુદ્ધ બોલ્યો તો કોંગ્રેસીઓ મારી નાંખશે: બેની પ્રસાદ

|
Google Oneindia Gujarati News

beni prasad
નવી દિલ્હી, 18 ઑગસ્ટ: પોતાના વિવાદાસ્પદ નિવેદનોથી હંમેશા ચર્ચામાં રહેતા કેન્દ્રીય સ્ટીલ મંત્રી બેની પ્રસાદ વર્માના હવે સૂર બદલાયા છે. સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહને લઇને કેન્દ્રીય મંત્રી બેની પ્રસાદ વર્મામાં પરિવર્તન જોવા મળી રહ્યું છે.

બેની પ્રસાદ લોકોને કહે છે કે તેમની હવે મુલાયમ સિંહ સાથે ફાઇટિંગ ના કરાવો, કારણ કે કોંગ્રેસને મુલાયમના સમર્થન થકી ફુડ સિક્યુરિટી બિલ પાસ કરાવવાનું છે. બેની પ્રસાદના જણાવ્યા અનુસાર હવે તેમણે મુલાયમ સિંહની વિરુદ્ધ કઇ બોલ્યા તો કોંગ્રેસી તેમને મારી નાખશે.

આ અંગે બેની પ્રસાદ વર્માએ જણાવ્યું કે મારો અને મુલાયમનો ઝગડો ના કરાવો કારણ કે અમારે ફુડ સિક્યુરિટી બિલ પાસ કરાવવાનું છે અને તેના માટે મુલાયમ સિંહનું સમર્થન લેવાનું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બેની પ્રસાદ અવારનવાર મુલાયમ સિંહ પર કોઇને કોઇ વિવાદિત ટિપ્પણી કર્યા કરે છે. પરંતુ ફુ઼ડ સુરક્ષા બિલને લઇને હાલમાં તેઓ કોઇપણ પ્રકારની ટિપણી કરવાથી બચવા માંગે છે.

English summary
If i say anything about Mulayam singh, then Congress will beat me : Beni Prasad Yadav.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X