
16 વર્ષની કિશોરી પર ત્રણ સગીર સહિત 6 જણાએ પાંચ દિવસ સુધી કર્યો બળાત્કાર
આંધ્રપ્રદેશના ઓંગેલે શહેરમાં 16 વર્ષની કિશોરી પર કથિત રીતે 6 જણાએ પાંચ દિવસ સુધી બળાત્કાર કરવાનો કેસ સામે આવ્યો છે. પોલિસ પાસેથી મળેલી માહિતી મુજબ બળાત્કાર કરનારામાં શામેલ પાંચ આરોપીઓમાંથી ત્રણ સગીર છે. બળાત્કારના બધા આરોપીઓને રાજ્યના અલગ અલગ ભાગોમાંથી પકડી લેવામાં આવ્યા છે. પોલિસે કેસ વિશે કહ્યુ કે તે તપાસ કરી રહી છે.
આ ઘટના બાદ રાજ્યની મહિલાઓની સુરક્ષા વિશે રાજ્યના ગૃહમંત્રી એમ સુચરિતાએ કડક કાર્યવાહીની માંગ કરી છે. ઘટના વિશે પ્રકાશન જિલ્લાના પોલિસ અધિકારી સિદ્ધાર્થ કૌશલે મીડિયા સાથે વાતચીત કરીને કહ્યુ કે આરોપીઓમાંથી એકની મુલાકાત પીડિતો સાથે એ સમયે થઈ જ્યારે તે 17 જૂનના રોજ ઓંગેલોમાં આરટીસી બસ સ્ટેશન પર પોતાના દોસ્તોની રાહ જોઈ રહી હતી. ત્યારબાદ તે તેને પોતાના રૂમ પર લઈ ગયો. જ્યાં તેના પાંચ દોસ્તો અને તેણે કથિત રીતે પાંચ દિવસ સુધી કિશોરી સાથે બળાત્કાર કર્યો.
પોલિસે જણાવ્યુ કે પીડિતા પડોશી જિલ્લાના ગુંટૂરની રહેવાસી છે જે આરોપીઓના ચંગુલમાંથી બચીને શનિવારે સાંજે બસ સ્ટેશન પર પહોંચી હતી. ત્યારબાદ ત્યાં હાજર એક હોમ ગાર્ડ વેંકટેશ્વરલુ અને સબ ઈન્સ્પેક્ટર બાબુ રાવે તેને જોઈ અને પછી તેને બચાવી. ત્યારબાદ કિશોરીને ઈલાજ માટે સરકારી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી જ્યાં તેની હાલત સ્થિર હતી.
પીડિતાની ફરિયાદના આધારે પોલિસે આરોપીઓને પકડવા માટે એક ટીમ બનાવી અને શનારે મોડી રાતથી જ તેમને અલગ અલગ જગ્યાએથી પકડી લીધા. પોલિસે જણાવ્યુ કે આરોપીઓમાંથી એક એસપીએસ નેલ્લોર જિલ્લાના બિટરાગુંટામાં પકડાઈ ગયો જ્યારે તે ટ્રેનમાં ચડવાની કોશિશ કરી રહ્યો હતો. આરોપીઓ સામે પોક્સો હેઠળ અને આઈપીસી વિવિધ કલમો હેઠળ કેસ કરવામાં આવ્યો હતો.