India Covid Update : કોરોના કેસમાં 20 ટકા ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 2503 નવા કેસ
ભારતમાં કોરોના વાયરસના કેસમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. કોરોના કેસમાં લગભગ 20 ટકા (19.6 ટકા) નો ઘટાડો નોંધાયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના 14 માર્ચના ડેટા અનુસાર છેલ્લા કલાકોમાં દેશમાં કોરોના વાયરસના 2 હજાર 503 નવા કેસ નોંધાયા છે.
આવા સમય, એક દિવસમાં સાજા થનારા લોકોની સંખ્યા 4 હજાર 377 છે. છેલ્લા 24 કલાકમાં 24 લોકોના કોરોનાથી મોત થયા છે. કોવિડ 19ના દૈનિક આંકડાઓમાં આટલો મોટો ઘટાડો છેલ્લા ઘણા મહિનાઓ બાદ જોવા મળી રહ્યો છે.

અત્યાર સુધીમાં 4,24,41,449 કોવિડ રિકવરી
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 4,24,41,449 કોવિડ રિકવરી થઈ ચૂકી છે. તે જ સમયે કોવિડ રસીકરણનો આંકડો 179.91 કરોડને પારપહોંચી ગયો છે.
સોમવારના રોજ સમગ્ર દેશમાં લોકોને રસીના 22.43 લાખથી ડોઝ આપવામાં આવ્યા હતા. આ સિવાય જો આપણે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોનીવાત કરીએ તો આ સંખ્યા 60 હતી. અત્યાર સુધીમાં આ આંકડો 5,15,877 છે.

ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ
- એક્ટિવ કેસ : 36,168 (0.08%)
- કુલ રિકવરી : 4,24,41,449
- મૃત્યુઆંક : 5,15,877
- કુલ રસીકરણ : 1,79,91,57,486

ચોથી લહેરનો ખતરો
દેશમાં કોરોનાના ત્રણ ભયંકર લહેર જોવા મળ્યા છે. હવે લોકો કોરોનાની ચોથી લહેરથી ડરી રહ્યા છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇમ્પ્લીમેન્ટેશન રિસર્ચ ઓફનોન-કમ્યુનિકેબલ ડિસીઝના ડિરેક્ટર અને કોમ્યુનિટી મેડિસિન નિષ્ણાત ડો. અરુણ શર્માએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં તમામ દેશોએ કોરોનાના નવા પ્રકારો જોયાછે, પરંતુ કોરોનાની ચોથી લહેરની ચોક્કસ આગાહી કરવી મુશ્કેલ છે. અન્ય દેશોમાં 80 ટકા વસ્તીને પણ રસી આપવામાં આવી છે.
આવી સ્થિતિમાં એવી અપેક્ષારાખવામાં આવે છે કે, કોરોનાની ચોથી લહેર વધુ ખતરનાક નહીં હોય પરંતુ આપણે કોરાના માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ અને બેદરકાર ન રહેવું જોઈએ.