ઇન્ડિગોએ શિવસેના સાંસદની ટિકિટ કરી રદ્દ
એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, શિવસેના સાંસદ રવિન્દ્ર ગાયકવાડ વિરુદ્ધ બે અલગ-અલગ એફઆઇઆર નોંધાવવામાં આવી છે.
વિમાન યાત્રા દરમિયાન 60 વર્ષીય એર ઇન્ડિયા ના કર્મચારીની પિટાઇ કરનાર શિવસેના સાંસદ રવિન્દ્ર ગાયકવાડે આ મુદ્દે ફરી એકવાર ધમકીભર્યું નિવેદન આપ્યું છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સ દ્વારા રવિન્દ્ર ગાયકવાડ પર પ્રતિબંધ મુકાયો હોવાની ખબરો આવી રહી છે. આ ખબરોનો જવાબ આપતાં રવિન્દ્ર ગાયકવાડે કહ્યું કે, મારી પાસે સાંજની ફ્લાઇટની જ ટિકિટ છે અને હું જોઉં છું મને જતા કોણ રોકે છે. હું ફ્લાઇટથી જ પૂના જઇશ.
રવિન્દ્ર ગાયકવાડનું વર્તન અસ્વીકાર્ય
જો કે, આ ઘટના અંગે ઇન્ડિયન કોમર્શિયલ પાયલટ એસોસિએશને સિવિલ એવિએશન મિનિલ્ટર એ.ગજાપતિ રાજુને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે, સાંસદ રવિન્દ્ર ગાયકવાડનું વર્તન ભયાવહ અને અસ્વીકાર્ય છે. તેમનો તિરસ્કાર થવો જોઇએ. તેમણે માફી માંગવી જ પડશે. નહીં તો અમારે મજબૂરીમાં અમારે અમારા તમામ સભ્યોને આદેશ આપવો પડશે, જે હેઠળ રવિન્દ્ર ગાયકવાડ હોય તે ફ્લાઇટ ઉપાડવામા નહીં આવે.
ગાયકવાડનું નામ FIAના બ્લેક લિસ્ટમાં
એર ઇન્ડિયા, કોર્પોરેટ કમિશનના જનલર મેનેજર જી.પી.રાવે કહ્યું છે કે, રવિન્દ્ર ગાયકવાડ એર ઇન્ડિયા તથા ફેડરેશન ઓફ ઇન્ડિયન એરલાઇન્સની કોઇ ફ્લાઇટમાં યાત્રા નહીં કરી શકે. અન્ય મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા તેમનું નામ બ્લેક લિસ્ટમાં ઉમેરવામાં આવ્યું છે.
R Gaikwad cannot fly on Air India & FIA airlines because of passenger safety issue. He is blacklisted: GP Rao, Gen Mgr, Corporate Comm, AI pic.twitter.com/3OLgYkxu7c
— ANI (@ANI_news) March 24, 2017
બીજી બાજુ રવિન્દ્ર ગાયકવાડની આજની દિલ્હીથી પૂનાની ઇન્ડિગો ની ટિકિટ કેન્સલ કરવામાં આવી છે.
#FLASH: IndiGo cancels Shiv Sena MP Ravindra Gaikwad's ticket for Delhi-Pune flight which he had booked for today.(file picture) pic.twitter.com/e4lEld9ltt
— ANI (@ANI_news) March 24, 2017
ગાયકવાડ વિરુદ્ધ બે FIR નોંધાઇ
એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, ગાયકવાડ વિરુદ્ધ બે અલગ-અલગ એફઆઇઆર નોંધવામાં આવી છે. એક એર ઇન્ડિયાના કર્મચારીને ચંપલથી મારવા તથા તેમને વિમાનમાંથી બહાર ફેંકવાનો પ્રયત્ન કરવા બદલ તથા બીજી પોતાના વર્તનને કારણે દિલ્હીથી ગોવા જનારા 115 યાત્રીઓના વિમાનના ટેક ઓફમાં બાધા નાંખવા માટે.
અહીં વાંચો - તેજ બહાદુરની મોતની ખબર પાછળ શું સચ્ચાઇ છે જાણો!
શિવસેનાએ માંગી છે સફાઇ
શિવસેના તરફથી આ અંગે કહેવામાં આવ્યું છે કે, પાર્ટીએ આ મામલે રવિન્દ્ર ગાયકવાડ પાસે માફી માંગી છે. શિવસેના કોઇ પણ પ્રકારની હિંસાનું સમર્થન નથી કરતી. અમે એર ઇન્ડિયાના કર્મચારીઓના પક્ષની પણ સફાઇ માંગી છે, અમે મામલાની તપાસ કરીશું.