માત્ર 7560 રૂપિયામાં 8 દિવસ સુધી કરી શકશો ભારતની યાત્રા
IRCTCએ ભારત દર્શન અંતર્ગત માત્ર 7560 રૂપિયામાં 7 રાત અને 8 દિવસનું ટૂર પેકેજ રજૂ કર્યું છે.
IRCTCએ ભારત દર્શન અંતર્ગત માત્ર 7560 રૂપિયામાં 7 રાત અને 8 દિવસનું ટૂર પેકેજ રજૂ કર્યું છે. આઇઆરસીટીસીની ઑફિશિયલ વેબસાઇટ irctctourism.com મુજબ દેશના તમામ મહત્વપૂર્ણ પર્યટન સ્થળોને કવર કરનાર સૌથી સસ્તી પેકેજમાંનું આ એક છે. ભારત દર્શનની વિશેષ યાત્રા પેકેજનું બુકિંગ આઇઆરસીટીસી પર્યટન વેબસાઇટ પર ઓનલાઇન ઉપલબ્ધ છે.
આઇઆરસીટીસી પર્યટનનો ઉલ્લેખ કરતાં પર્યટન સુવિધા કેન્દ્ર, ઝોનલ કાર્યાલય અને ક્ષેત્રીય કાર્યાલયોના માધ્યમથી બુકિંગ કરવામાં આવી શકે છે. આ યાત્રા 9 મે 2018ના રોજ શરૂ થશે અને 16 મે 2018ના રોજ સમાપ્ત થઇ જશે.
ભારત દર્શન ટૂર પેકેજ વિશે અહીં તમને વિસ્તૃત માહિતી આપવામા આવી છે.
1- પેકેજનું નામ ભારત દર્શન છે જેનો બુકિંગ કોડ (WZBD227) છે.
2- આ પેકેજ અંતર્ગત તમે મથુરા, આગરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર અને વેષ્ણોદેવીની યાત્રા કરી શકો છો.
3- આ પેકેજના બોર્ડિંગ સ્ટેશન રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, સાબરમતી, આનંદ, વડોદરા, ગોધરા અને રતલામ શહેરમાં છે.
4- પેકેજના ડી-બોર્ડિંગ પોઇન્ટ્સમાં રતલામ, ગોધરા, વડોદરા, આણંદ, સાબરમતી, વિરમગામ, સુરેન્દ્રનગર અને રાજકોટ સામેલ છે.
5- ભારત દર્શન ટૂર પેકેજની આ યાત્રા તમે ટ્રેનથી સ્લીપર ક્લાસમાં કરી શકો છો.
6- પેકેજમાં નાસ્તો, બોપરનું ભોજન અને રાતનું ભોજન સામેલ છે.
7-ટ્રેન રાજકોટથી સવારે 6 વાગ્યે નીકળશે.
8- આ પેકેજમાં રાત્રે રહેવા, સવાર માટે તાજો નાસ્તો, શુદ્ધ શાકાહારી ભોજન, દર્શનીય સ્થળો માટે પર્યટક બસ, ઘોષણાઓ અને સૂચનાઓ માટે ટૂર એસ્કૉર્ટ્સ, દરેક કોચ માટે સુરક્ષા વ્યવસ્થા અને ટ્રેન પર એક આઇઆરસીટીસી અધિકારી ટ્રેન અધિક્ષકના રૂપે હાજર રહેશે.
9- સ્મારકો પરના પ્રવેશ ખર્ચ અને ગાઇડનો ખર્ચ પેકેજમાં સામેલ નથી, આઇઆરસીટીસીની વેબસાઇટ પર આનો ઉલ્લેખ કરવામા આવ્યો છે.
10- ટૂર પ્રોગ્રામ કોઇપણ બદલાવ કરવા માટે હક ધરાવે છે, એટલે કે કોઇપણ આકસ્મિક પરિસ્થિતિમાં ટૂરમાં ફેરફાર કે ટ્રેન રદ થવા જેવી ચીજ થઇ શકે છે, આવી પરિસ્થિતિમાં આઇઆરસીટીસી જાણકારી આપશે.