કુર્બાની વિવાદ: ઇરફાને કહ્યું હું કોઇ ધર્મગુરુઓથી નથી ડરતો
ફિલ્મ અભિનેતા ઇરફાન ખાને કુર્બાની નિવેદન પર વધુ ટિપ્પણી કરતા શુક્રવારે કેટલાક અન્ય વિવાદીત ટ્વિટ ફેસબુક પર કર્યા હતા. જે બાદ અનેક લોકોએ તેમની આ ટિપ્પણી પર અણગમો વ્યક્ત કર્યો હતો. અને ઇરફાન ખાનનો વિરોધ કર્યો હતો.
ઇરફાન ખાને કહ્યું કે તે ધર્મગુરુઓથી નથી ડરતા અને તે ખુદાનો આભાર માની રહ્યા છે કે તે તેવા દેશમાં નથી રહેતા જે ધાર્મિક ઠેકેદારોનું રાજ હોય. સાથે જ તેમણે કહ્યું ભાઇઓ મારી વાતનો ખોટો મતલબ ના નીકાળો. જે લોકો મારા નિવેદનની નરાજ છે તેમને આત્મવિશ્લેષણની જરૂર છે. કે પછી તે ખુબ જલ્દી કોઇ નિર્ણય પર પહોંચી રહ્યા છે.
Clerics don't scare me !! Thank God I don't live in a country governed by religious contractors (thekedars ) #FREEDOM
— irrfan (@irrfan_k) July 1, 2016
Pls Bhaiyon, who r upset with my statement, either u r not ready to introspect or u r in a hurry 2 reach 2 a conclusion.
— irrfan (@irrfan_k) July 1, 2016
નોંધનીય છે કે હાલમાં જ આવી રહેલી ઇરફાન ખાનની ફિલ્મ મદારીના પ્રમોશન વખતે ઇરફાન ખાને કહ્યું હતું કે કુર્બાનીનો મતલબ તે નથી કે તમે બકરાની બલિ આપો. જે બાદ વિવાદ થયો હતો. ધર્મગુરુ મુફ્તી અખલાકુર્રહમાન કાસમીએ ઇરફાન પર ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું હતું કે તે કુરાન વિરોધી છે. જે પર ઇરફાને આવી પ્રતિક્રિયા આપી હતી.