આમીર ખાન જરા ફિલ્મ રંગ દે બસંતીનો તે ડાયલોગ તો યાદ કર...
બોલીવૂડ અભિનેતા આમીર ખાને અસહિષ્ણુતા મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપીને એક નવી સનસની ફેલાવી દીધી છે. સોમવાર રાતે એક મીડિયા ગ્રુપના ફકંશનમાં આમીર ખાને કહ્યું કે દેશનો માહોલ જોઇને મારી પત્ની કિરણ બહુ જ મોટી અને ડરાવણી વાત કહી દીધી. તેણે કહ્યું કે શું આપણે દેશ છોડી દેવા જોઇએ? કિરણ અમારા બાળકની સુરક્ષાને લઇને ચિતિંત હતી.
આમિર ખાનના આ નિવેદનને લઇને સારો એવો દંગલ થઇ ગયો. સોશ્યલ મીડિયા પર પણ તેની આલોચના થઇ. એટલે સુધી કે એપ વાપસી નામના હેશટેગ હેઠળ લોકો આમીર જે જે કંપનીના બ્રાન્ડએબ્રેસેડર છે જેમ કે સેન્પડીલ તેને ડિલિટ કરી રહ્યા છે. ત્યારે આ તમામની વચ્ચે આમીરની ખાસ્સી ચર્ચાસ્પદ રહેલી ફિલ્મ રંગ દે બસંતીનો એક ડાયલોગ યાદ આવી ગયો જેમાં આમીર કહ્યું હતું કે કોઇ દેશ પરફેક્ટ નથી હોતો તેને પરફેક્ટ બનાવવો પડે છે. ત્યારે આમીર ખાનની ફેમસ ફિલ્મોના આવા જ કેટલાક ડાયલોગને વાંચો અહીં...
ફિલ્મ લગાન
ફિલ્મ લગાનમાં આમીર ખાને ભુવન નામના એક વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું. જેમાં તે અંગ્રેજોના ત્રાસથી ત્રાસીને તેમને જોડે ક્રિકેટ મેચની શર્ત લગાવી બેસે તેમાં તે કહે છે કે "સો કોડે મંજૂર હૈ મગર માફી નહીં માંગેગે"
ફિલ્મ મંગળ પાંડે
ફિલ્મ મંગળ પાંડેમાં આમીર ખાનનો એક ડાયલોગ ખૂબ જ ફેમસ થયો હતો કે "યે આઝાદીકી લડાઇ હૈ ગુજરે હુએ કલ સે આઝાદી...આને વાલે કલ કે લિયે."
રંગ દે બસંતી
ફિલ્મ રંગ દે બસંતીમાં આમીર ખાને જ કહ્યું હતું કે "કોઇ પણ દેશ પરફેક્ટ નથી હોતો...તેને બહેતર બનાના પડતા હૈ."
સરફરોશ
ફિલ્મ સરફરોશમાં આમીર ખાન એક દેશભક્ત પોલિસ કર્મીના રૂપમાં જોવા મળ્યા હતા. અને તેમણે કહ્યું હતું કે "યે મુલ્ક કો મેં અપના ઘર સમજતા હૂં."