For Quick Alerts
For Daily Alerts
'શું બળાત્કાર રોકવા ગૃહમંત્રી શિંદેની જવાબાદરી છે?'
તેમણે કહ્યું કે, વિપક્ષ દ્વારા ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેના રાજીનામાની માંગને યોગ્ય ગણાવી શકાય નહીં. સુશીલ કુમારનું કામ દેશની પોલીસને વધુને વધુ એક્ટિવ રાખવાનું છે. પરંતુ વિપક્ષ તેમના રાજીનામાની માંગ કરી રહ્યાં છે.
દિલ્હીના ગાંધીનગરમાં પાંચ વર્ષની બાળકી 'ગુડિયા' સાથે બળાત્કારના મામલે લોકસભામાં સુશીલ કુમાર શિંદેએ પણ બેજવાબદાર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બળાત્કારની ઘટનાઓ દેશના અન્ય રાજ્યોમાં પણ થાય છે. નેતાઓ દ્વારા આ પ્રકારના બેજવાબદારભર્યા નિવેદન કરવા એ નવી વાત નથી. નોંધનીય છે કે, પાંચ વર્ષિય બાળકી પર ગત 15 એપ્રિલએ પૂર્વિય દિલ્હીના ગાંધીનગર સ્થિત એક મકાનમાં બળાત્કારની ઘટના બાદ દેશભરમાં લોકોએ પ્રદર્શન કરીને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ મામલાને લઇને સંસદમાં જોરદાર હંગામો મચ્યો હતો.
Comments
rape sushilkumar shinde sriprakash jaiswal delhi parliament બળાત્કાર સુશીલ કુમાર શિંદે શ્રીપ્રકાશ જયસ્વાલ દિલ્હી સંસદ
English summary
Coal Minister Sriprakash Jaiswal on Wednesday asked whether it was the responsibility of Home Minister Sushilkumar Shinde to stop rapes?