ઇસરોએ શ્રીહરિકોટાથી લોન્ચ કર્યું 31 સેટેલાઇટવાળું PSLV-C38
ઇસરોએ શ્રીહરિકોટાથી જે 31 સેટેલાઇટ વાળું PSLV-C38 લોન્ચ કર્યું છે તેનાથી ભારતીય સેના અને તમિલનાડુના વિદ્યાર્થીઓને કેવી રીતે ફાયદો થશે તે જાણો.
આંધ્ર પ્રદેશના શ્રી હરિકોટા સ્થિત ધવન સ્પેસ સેન્ટરથી પીએસએલવી-સી 38ને લોન્ચ કરવામાં આવ્યું છે. આ પીએસએલવીની 40મી ઉડ્ડાન છે. અને આ લોન્ચ સેના માટે ખુબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. પીએસએલવી 14 દેશોના 29 નેનો સેટેલાઇટને લઇને રવાના થયું છે.
955 કિલોગ્રામ
પીએસએસવી-સી38 એસ્ટ્રેલિયા, બેલ્જિયમ, ચિલી, ચેક, રિપબ્લિક, ફિનલેન્ડ, ફ્રાંસ, જર્મની, ઇટલી, જાપાન, લટાવિયા, લિથુઆનિયા, સ્લોવાકિયા, યુનાઇટેડ કિંગડમ અને અમેરિકાની સાથે જ ભારતના પણ સેટેલાઇટને લઇને રવાના થયું છે. આ તમામ સેટેલાઇટનું કુલ વજન 955 કિલોગ્રામ છે. આ પીએસએલવીની 40મી ફ્લાઇટ છે અને તે XL કનફિગ્રેશનની સાથે પીએસએલવીની 17મી ઉડ્ડાન છે. પીએસએલવીનું આ મિશન તમિલનાડુના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ મહત્વનું છે કારણ કે તે કન્યાકુમાર જિલ્લાના વિદ્યાર્થી માટે સંપૂર્ણ પણે દેશમાં બનેલા સેટેલાઇટને લઇને પણ રવાના થયું છે.