10 ઓક્ટોબરથી કાશ્મીર ફરવા જઈ શકશે પર્યટક, હટાવાઈ ટ્રાવેલ એડવાઈઝરી
જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કાશ્મીર ઘાટીમાં પ્રવાસીઓ માટે ગૃહ વિભાગના નિર્દેશ પર જારી કરવામાં આવેલી ટ્રાવેલ એડવાઈઝરી તાત્કાલિક પ્રભાવથી હટાવી દીધી છે.
જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કાશ્મીર ઘાટીમાં પ્રવાસીઓ માટે ગૃહ વિભાગના નિર્દેશ પર જારી કરવામાં આવેલી ટ્રાવેલ એડવાઈઝરી તાત્કાલિક પ્રભાવથી હટાવી દીધી છે. તેમણે આ નિર્ણય સોમવારે બોલાવવામાં આવેલી સમીક્ષા બેઠકમાં લીધો. રાજ્યપાલે નિર્દેશ આપ્યા કે પર્યટકોને ઘાટી છોડવાની ગૃહ વિભાગની એડવાઈઝરીને રદ કરી દેવામાં આવી રહી છે. આ આદેશ 10 ઓક્ટોબરથી લાગુ થશે. તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવતા પહેલા આ ટ્રાવેલ એડવાઈઝરી જારી કરવામાં આવી હતી.

રાજ્યપાલ સત્યપાલ મલિકે સલાહકારો અને મુખ્ય સચિવ સાથે સોમવારે સુરક્ષા સ્થિતિ પર સમીક્ષા બેઠક કરી. બેઠકમાં યોજના અને આવાસ તેમજ શહેરી વિકાસ વિભાગા મુખ્ય સચિવોએ પણ ભાગ લીધો. રાજ્યપાલને ખંડ વિકાસ પરિષદો (BDC) ચૂંટણી વિશે માહિતી આપવામાં આવી. તેમને સૂચિત કરવામાં આવ્યા કે બીડીસી ચૂંટણીમાં લોકોની સક્રિય રુચિ છે. ચૂંટણીથી બીડીસી અધ્યક્ષોની મોટાભાગની સીટો ભરાઈ જશે.
રાજ્યપાલને સફરજનની ખરીદીમાં પ્રગતિ વિશએ પણ જણાવવામાં આવ્યુ જે 850 ટન અને 3.25 કરોડ રૂપિયાથી વધુ છે. સફરજનના દરોમાં અમુક ફેરફારો કરવામાં આવી રહ્યા છે જેની ઘોષણા જલ્દી કરવામાં આવશે. તેમણે જણાવ્યુ કે કાશ્મીરમાં મુખ્ય બજાર અને અન્ય વેપારી સંસ્થાઓ સતત બંધ છે. પ્રશાસનિક અધિકારીઓએ જણાવ્યુ કે ખાનગી ક્ષેત્રની ગાડીઓ કોઈ અડચણ વિના શ્રીનગર અને અન્ય જિલ્લાઓ સહિત આખી ઘાટીના રસ્તાઓ પર ચાલી રહી છે. કાશ્મીરમાં સોમવારે 64માં દિવસે મુખ્ય બજાર બધ રહેશે.
Govt of Jammu and Kashmir: Governor Satya Pal Malik held a situation cum security review meeting today with the advisors and the Chief Secretary. The meeting was also attended by the Principal Secretaries of Planning and Housing & Urban Development Department. (file pic) pic.twitter.com/QIN0gLt92S
— ANI (@ANI) 7 October 2019
અધિકારીઓએ જણાવ્યુ કે આખી ઘાટીમાં લેંડલાઈન ટેલિફોન સેવા ચાલુ કરી દેવામાં આવી છે. હંદવાડા અને કુપવાડાને છોડજીને બાકીના કાશ્મીરમાં મોબાઈલ સેવા ચાર ઓગસ્ટથી બંધ છે. સાર્વજનિક પરિવહનની ગાડીઓ બંધ રહેવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત રહ્યુ.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
