For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકીઓએ ઘરમાં ઘૂસીને બીજેપી કાર્યકર્તાની હત્યા કરી

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ ઘરમાં ઘૂસીને બીજેપી કાર્યકર્તાની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી છે. આતંકીઓએ બીજેપી કાર્યકર્તા શબીર અહમદ ભટ્ટની હત્યા કરી નાખી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ ઘરમાં ઘૂસીને બીજેપી કાર્યકર્તાની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી છે. આતંકીઓએ બીજેપી કાર્યકર્તા શબીર અહમદ ભટ્ટની હત્યા કરી નાખી છે. એએનઆઈ મુજબ મંગળવારે રાત્રે લગભગ 2.30 વાગ્યે આતંકીઓએ પુલવામાં આવેલા તેના ઘરમાં ઘૂસીને શબીર અહમદ ભટ્ટની ગોળીથી હત્યા કરી નાખી.

jammu and kashmir

આ કોઈ પહેલો મામલો નથી જયારે ઘાટીમાં બીજેપી કાર્યકર્તાને નિશાનો બનાવવામાં આવ્યો હોય. આ પહેલા આતંકીઓ ઘ્વારા બીજેપી નેતા ગોહર હુસેન ભટ્ટની હત્યા કરી દેવામાં આવી હતી. તેમની લાશ કિલલુરનાં એક બાગમાં મળી આવી હતી.

જયારે મંગળવારે કુપવાડામાં આતંકીઓ અને સેના વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન શહીદ થઇ ગયો હતો. સુરક્ષાબળોને આ વિસ્તારમાં આતંકીઓ સંતાયા હોવાની જાણકારી મળી હતી. ત્યારપછી આ વિસ્તારની ઘેરાબંધી કરીને તેનું સર્ચ ઓપરેશન ચાલુ કરી દેવામાં આવ્યું. આ દરમિયાન આતંકીઓએ ગોળીબારી શરુ કરી. આ હુમલામાં સેનાનો એક જવાન પણ શહીદ થઇ ગયો.

English summary
Jammu and Kashmir: Shabir Ahmad Bhat, who is affiliated with the BJP, was shot dead by terrorists
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X