For Daily Alerts
જમ્મુ-કાશ્મીરઃ અખનૂરમાં બ્લાસ્ટ થયો, સેનાના 2 જવાન શહીદ
જમ્મુ-કાશ્મીરઃ અખનૂરમાં બ્લાસ્ટ થયો, સેનાના 2 જવાન શહીદ
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના અખનૂર સેક્ટરમાં થયેલ એક વિસ્ફોટમાં બે જવાન શહીદ થઈ ગયા છે. આ બ્લાસ્ટ LoC નજીક એક ખાણમાં થયો જેની લપેટમાં આવવાથી કેટલાય જવાનો સહિત અન્ય લોકો પણ ઘાયલ થયા છે. સેનાના એક વરિષ્ઠ અધિકારીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે.
એક અધિકારી મુજબ જમ્મુ જિલ્લાના અખનૂર સેક્ટરમાં એલઓસી પાસે સેનાના જવાન પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે એન્ટી ઈનફિલ્ટ્રેશન ઑભસટેક્લ સિસ્ટમ પાસે એક ગુફામાં શનિવારે બપોર બાદ ધમાકો થયો હતો. સેનાના પ્રવક્તાએ કહ્યું કે વિસ્ફોટમાં સેનાના બે જવાનોનાં મૃત્યુ થયાં છે અને અન્ય બે જવાન ઘાયલ થઈ ગયા છે. જેમાંથી એકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો- DACએ આપી 3000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી, રશિયાથી ખરીદાશે બ્રહ્મોસ મિસાઈલ
Comments
English summary
Jammu Kashmir: Blast in Akhnoor, 2 soldiers killed
Story first published: Sunday, December 2, 2018, 8:09 [IST]