For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ કાશ્મીર: રજા પર આવેલા જવાનને આતંકીઓએ ઘરમાં ઘૂસીને ગોળી મારી

દક્ષિણ કાશ્મીરમાં આતંકીઓએ ઘરમાં ઘૂસીને એક સીઆરપીએફ જવાનની હત્યા કરી નાખી છે. આ જવાનનું નામ નસીર અહમદ રાથેર હતું.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દક્ષિણ કાશ્મીરમાં આતંકીઓએ ઘરમાં ઘૂસીને એક સીઆરપીએફ જવાનની હત્યા કરી નાખી છે. આ જવાનનું નામ નસીર અહમદ રાથેર હતું. નસીર અહમદ સીઆરપીએફની 134મી બટાલિયનમાં હતો અને તે રજા પર હતો. ગોળી વાગવાને કારણે નસીરને પુલવામાં આવેલા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં ડોક્ટરો ઘ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આપણે જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં અવારનવાર આતંકીઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે મુઠભેડ થતી રહી છે.

Jammu Kashmir

જમ્મુ કાશ્મીરમાં હાલમાં સત્તા પર રહેલા નેતાઓ ઘ્વારા નિવેદન આપવામાં આવે છે કે પરિસ્થિતિ કાબુમાં છે. પરંતુ અવારનવાર રજા પર ગયેલા જવાનોની મૃત્યુ દેશના લોકોને દુઃખી કરે છે. આપણે જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસમાં કાશ્મીરના આ ચોથા સુરક્ષાકર્મીની હત્યા છે. આતંકીઓ હવે કાશ્મીરના રહેનાર સુરક્ષાકર્મીઓને નિશાનો બનાવી રહ્યા છે. ઈદ પહેલા આતંકીઓ ઘ્વારા સેનાના રાઇફલમેન ઔરંગઝેબનું અપહરણ કરીને તેની હત્યા કરી નાખી હતી.

ત્યારપછી શોપિયાંમાં રજા પર ગયેલા પોલીસકર્મી જાવેદ અહેમદ ડારની તેના ઘર પાસેથી અપહરણ કરીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી. ગયા અઠવાડિયે કુલગામમાં એસપીઓ થી પોલીસકર્મી બનેલા સલીમ શાહનું પણ અપહરણ કરીને તેમની હત્યા કરી દેવામાં આવી હતી. શુક્રવારે પણ આઇપીઓ જવાનનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું પરંતુ પરિવારની અપીલ પર તેમને છોડી દેવામાં આવ્યા હતા.

English summary
Jammu Kashmir CRPF Jawan shot dead by terrorists in pulwama
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X