Jammu Kashmir: કઠુઆમાં સેનાની બેરેક અચાનક ધરાશાયી, 2 જવાન શહીદ, 1ની હાલત ગંભીર
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એક આર્મી બેરેક(Army barrack) ધરાશાયી થઈ જવાથી બે જવાન શહીદ થઈ ગયા છે.
Jammu Kashmir News: જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એક આર્મી બેરેક(Army barrack) ધરાશાયી થઈ જવાથી બે જવાન શહીદ થઈ ગયા છે. વળી, એક જવાનની હાલત ગંભીર જણાવાઈ રહી છે. તેનો ઈલાજ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. રિપોર્ટ મુજબ આર્મી બેરેક કઠુઆ જિલ્લાના માછેડી(Machhedi of Kathua)વિસ્તારમાં શુક્રવારે(25 ડિસેમ્બર)ધરાશાયી થઈ ગયુ. ઘટના સાંજે લગભગ 6 વાગ્યાની છે.
ઘાયલ જવાનને પઠાણકોટની આર્મી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત ગંભીર છે. જણાવવામાં આવી રહ્યુ છે કે બિલવારના સેક્ટર માછેડીમાં સાંજે લગભગ 6 વાગે સેનાના જવાન બેરેકમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક દિવાલ ધસી પડી જેના કારણે 3 જવાન ઘાયલ થઈ ગયા. ત્યારબાદ બધાને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં 2 જવાનોને ડૉક્ટરે મૃત ગણાવ્યા.
શહીદ થનાર જવાનની ઓળખ સામે આવી છે. શહીદ થયેલ જવાનમાં એક હરિયાણાના રહેવાસી સૂબેદાર એસએન સિંહ હતા. વળી, એક સાંબાના રહેવાસી નાયક પ્રવીણ કુમાર હતા. ઘાયલ જવાનનુ નામ હવાલદાર મંગળસિંહ છે.
ક્રિસમસની સવારે અમેરિકામાં ધમાકો, ઈમારતો અને વાહનોને નુકશાન