જમ્મુઃ તંગધારમાં ઘૂસણખોરીની કોશિશ નિષ્ફળ કરાઈ, 5 આતંકી ઠાર
જમ્મુના તંગધાર સેક્ટરમાં સેનાએ આતંકીઓની ઘુસણખોરીની કોશિશ નિષ્ફળ બનાવી હતી. આ ઑપરેશનમાં 5 આતંકી ઠાર મરાયા છે.
જમ્મુના તંગધાર સેક્ટરમાં સેનાએ આતંકીઓની ઘૂસણખોરીની કોશિશ નિષ્ફળ બનાવી હતી. આ ઑપરેશનમાં 5 આતંકી ઠાર મરાયા છે. સર્ચ ઑપરેશન ચાલુ છે. તમને જણાવી દઈએ કે જમ્મૂ-કાશ્મીરમાં આતંકી સતત પોતાની નાપાક હરકતો કરવાની કોશિશ કરી રહ્યા છે.
સર્ચ ઑપરેશન જારી
શુક્રવારે પણ જમ્મુ-કાશ્મીરના કુલગામના નિહામામાં સેનાના 34 રાષ્ટ્રીય રાઈફલના કેમ્પ પર આતંકીઓએ ગ્રેનેડ ફેંક્યા હતા. જો કે આમાં કોઈ જાનહાનિ થઈ નહોતી પરંતુ ત્યારબાદ વિસ્તારમાં સર્ચ ઑપરેશન જારી છે.
આતંકવાદીઓ સામેની રણનીતિમાં બદલાવ
તમને જણાવી દઈએ કે જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાબળોએ આતંકવાદીઓ સામે પોતાની રણનીતીમાં બદલાવ કર્યો છે. કાશ્મીરમાં સુરક્ષાબળોએ નવો નારો આપ્યો છે- ‘તેમને જીવતા પકડો'. જણાવવામાં આવી રહ્યુ છે કે કાશ્મીરમાં આ નવા નારાનો મુખ્ય ઉદ્દેશ હશે - આતંકવાદી સંગઠનમાં શામેલ થતા નવા યુવાનો. જીવતા પકડ્યા બાદ સુરક્ષા બળ તેમને પરિવાર પાસે પાછા ફરવા માટે પ્રેરિત કરશે.
આતંકવાદીઓના પાયાગત નેટવર્કને ધ્વસ્ત કરવુ
સુરક્ષાબળોના અધિકારીઓનું કહેવુ છે કે આ રણનીતિનો મુખ્ય ઉદ્દેશ આતંકવાદીઓના જમીની નેટવર્કને ખતમ કરવાનો છે. વળી, જમીન પર કામ કરતા યુવાઓને કટ્ટર બનાવીને તેમને જેહાદમાં ધકેલનારા સામે કડક કાર્યવાહી કરવાનો છે.