જયલલિતાને મળી દિવાળીની ભેટ, સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન
નવી દિલ્હી, 17 ઓક્ટોબર: આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં જેલમાં બંધ તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાને સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કરી દિધા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા જયલલિતાને અ મોટી રાહત મળી છે. 27 સપ્ટેમ્બરથી જેલમાં બંધ જયલલિતાને જામીન મળ્યા બાદ સમર્થકોમાં જોરદાર ખુશીની લહેર જોવા મળી હતી. સુપ્રીમ કોર્ટે જયલલિતાની સજા પર બે વર્ષની રોક લગાવી દિધી છે.
જયલલિતાને 21 દિવસ જેલમાં રહ્યાં બાદ જામીન મળ્યાં છે. સુપ્રીમ કોર્ટે જામીન આપતાં જયલલિતા પર કેટલીક શરતો પણ લગાવી છે જેની અવગણના કરતાં તેમની જામીન અરજી રદ કરી દેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો તમિલનાડુમાં હિંસા થઇ તો તેમના જામીનને રદ કરી દેવામાં આવશે. સાથે જ તેમણે 18 સપ્ટેમ્બર સુધી ઘરથી બહાર ન જવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં કર્ણાટક હાઇકોર્ટે સાત ઓક્ટોબરન રોજ જયલલિતાની જામીન અરજીને નકારી કાઢી હતી. ત્યારબાદ જયલલિતાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જેના પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે જયલલિતાને રાહત આપતાં તેમને જામીન મંજૂર કરી લીધા છે.
તમને જણાવી દઇએ કે આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં વિશેષ કોર્ટે જયલલિતાને દોષી ગણાવતાં ચાર વર્ષની જેલની સજા સંભળાવી હતી. સાથે જ તેમના પર સો કરોડ રૂપિયાનો દંડ પર લગાવવામાં આવ્યો હતો.