ભીમ આર્મી પ્રમુખ ચંદ્રશેખરને મળ્યો ગુજરાતના ઉભરતા દલિત નેતાનો સાથ
મંગળવારે મોડી સાંજે ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ચંદ્રશેખરના ઘરે પહોંચીને મુલાકાત કરી અને બંધ રૂમમાં લગભગ અડધો કલાક વાત કરી.
ભીમ આર્મી એકતા મિશનના સંસ્થાપક ચંદ્રશેખર જ્યારથી જેલમાંથી મુક્ત થયા છે તેમને મળવા આવનાર નેતાઓ, સામાજિક કાર્યકરોની અવરજવર સતત ચાલુ છે. એક તરફ મોટા પક્ષોના નેતાઓ મુલાકાત કરી રહ્યા છે તો બીજી તરફ રાજ્યોના ધારાસભ્યો અને મંત્રીઓની અવરજવર પર સતત ચાલુ છે. આ ક્રમમાં મંગળવારે મોડી સાંજે ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ચંદ્રશેખરના ઘરે પહોંચીને મુલાકાત કરી અને બંધ રૂમમાં લગભગ અડધો કલાક વાત કરી.
જિગ્નેશ મેવાણી મંગળવારે મોડી સાંજે સહારનપુર પહોંચ્યા અને અહીંથી તે દેહરાદૂન હાઈવે સ્થિત ગામ છુટમલપુરમાં ચંદ્રશેખરના ઘરે પહોંચ્યા અને મુલાકાત કરી. અતિથિ સત્કાર બાદ જિગ્નેશે ચંદ્રશેખર સાથે એકાંતમાં વાતચીત કરવાનો ઈશારો કર્યો. ત્યારબાદ બંને એક રૂમમાં જતા રહ્યા. બંધ રૂમમાં બંને વચ્ચે લગભગ અડધો કલાક વાતચીત થઈ. સૂત્રો અનુસાર ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ભાજપ પર દલિત તેમજ ઓબીસી વિરોધી હોવાનો આરોપ લગાવતા કહ્યુ કે શેખર દ્વારા રાજકીય ઉત્પીડન છતાં પોતાના સમાજ માટે ઉઠાવવામાં આવેલ અવાજમાં તે પોતાના તરફથી તેમની સાથે છે.
આ પણ વાંચોઃ પીએમ પર વાંધાજનક ટ્વિટ કરતા કોંગ્રેસની સોશિયલ મીડિયા આયોજક સામે FIR
ચંદ્રશેખરે કહ્યુ કે કાશીરામની રાજકીય મુવમેન્ટને ઉભી કરવી છે. તેમને કોઈ ચલાવે કે ના ચલાવે ભીમ આર્મી ચલાવશે. મે ઘણુ બધુ કાશીરામની કાર્યશૈલીમાંથી શીખ્યુ છે. આ વાતચીતને સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવી છે. મેવાણીને મળ્યા બાદ ચંદ્રશેખરે કહ્યુ કે વ્યક્તિગત રીતે તે મળવા આવ્યા હતા. જિગ્નેશ મેવાણીના પહોંચવાની સૂચના મળતા જ ભીમ આર્મીના સેંકડો સમર્થક સ્થળ પર પહોંચી ગયા હતા. ચંદ્રશેખરે આ મુલાકાત દરમિયાન મીડિયાને દૂર રાખ્યુ હતુ.
આ પણ વાંચોઃ આધાર કાર્ડની માન્યતા પર સુપ્રીમ કોર્ટનો આજે મહત્વનો ચુકાદો