કોરોના કાળમાં શું ભાડુઆતો પાસે છે કોઈ વિકલ્પ, દિલ્લી હાઈકોર્ટના જજે જણાવ્યુ
નવી દિલ્લીઃ માર્ચ મહિનાથી આખા દેશમાં કોરોના વાયરસ સંકટ સામે લડી રહ્યો છે. માર્ચમાં લૉકડાઉન બાદ લોકો જ્યાં હતા ત્યાં રહેવા માટે મજબૂર થઈ ગયા. કેન્દ્ર સરકારે મકાન માલિકોને અપીલ કરી કે ભાડુઆતો પાસેથી થોડો સમય ભાડુ ન લેવામાં આવે પરંતુ આવુ થઈ શક્યુ નહિ અને ઘણા લોકો આજ સુધી પોતાનુ ભાડુ ચૂકવી રહ્યા છે. આવા લોકો માટે એક વેબીનાર દ્વારા દિલ્લી હાઈકોર્ટના જજ જસ્ટીસ પ્રતિભા એમ સિંહે ઘણી મહત્વની વાતો જણાવી છે.
સુપ્રીમ કોર્ટના એક ચુકાદાનુ ઉદાહરણ
તેમણે કહ્યુ કે દેશના કાયદામાં એવી જોગવાઈ છે જેની મદદથી લોકો કોરોના જેવા સંકટકાળમાં પોતાનુ ભાડુ ચૂકવવાથી બચી શકે છે. જસ્ટીસ પ્રતિભાએ જણાવ્યુ કે આઈપીસીની કલમ 32 હેઠળ એવી જોગવાઈ છે કે લોકો મહામારી, યુદ્ધ કે પછી એવા સંકટ સમયે પોતાનુ ભાડુ ચૂકવવાથી બચવા માટે કોર્ટની શરણ લઈ શકે છે. આ સાથે જ તેમણે 60ના દશકનુ એક ઉદાહરણ પણ આપ્યુ જેમાં ભાગલા બાદ જમીન માટે માલિકી હક માટે બે લોકો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યુ કે 19 ઓક્ટોબર 1967માં ભાગલા બાદ એક જમીન સાથે જોડાયેલો વિવાદ સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.
આ કેસને હયાલીરામ જગન્નાથ કેસના નામથી ઓળખવામાં આવે છે જે સાત જુલાઈ 1958માં શરૂ થયો હતો. આ કેસમાં જૂટના 2000 પોટલા પાકિસ્તાનથી લાવવાના હતા. સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો હતો તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યુ હતુ કે કોર્ટ પાસે એ પ્રકારની કોઈ તાકાતનથી કે તે કોઈ કૉન્ટ્રાક્ટથી કોઈ પાર્ટીને અલગ કરી શકે. જસ્ટીસ પ્રતિભાએ કહ્યુ કે મહામારીના કારણે આ રીતના કેસોની ભરમાર થવાની છે. એવામાં વકીલોએ પોતાના કલાયન્ટ્સને યોગ્ય સલાહ આપવી પડશે કે તેમણે કઈ રીતે પોતાના મુદ્દાને આગળ વધારવાનો છે.
રાજ્યસભાના નવા ચૂંટાયેલા સભ્યો 22 જુલાઈએ લેશે શપથ, એક અતિથિની મંજૂરી