Kailash Mansarovar Yatra: ખરાબ હવામાનને કારણે સિમીકોટમાં 200 તીર્થયાત્રીઓ ફસાયા
એતિહાસિક માનસરોવર યાત્રામાં ફરી એકવાર અવરોધ પેદા થયો છે. ઉંચા હિમાલીયા વિસ્તારમાં ખરાબ હવામાનને કારણે સિમીકોટમાં 200 તીર્થયાત્રીઓ ફસાયા છે.
એતિહાસિક માનસરોવર યાત્રામાં ફરી એકવાર અવરોધ પેદા થયો છે. ઉંચા હિમાલીયા વિસ્તારમાં ખરાબ હવામાનને કારણે સિમીકોટમાં 200 તીર્થયાત્રીઓ ફસાયા છે. જેના વિશે ભારતીય દૂતાવાસ ઘ્વારા નિવેદન આવ્યું છે કે તેઓ સતત તેમની અને તેમના પરિવારના સંપર્કમાં છે. હાલત કાબુમાં છે અને હવામાન સાફ થતા જ તીર્થયાત્રીઓને રવાના કરી દેવામાં આવ્યા છે.
કૈલાશ માનસરોવર યાત્રા
આપણે જણાવી દઈએ કે હિન્દૂ ધર્મમાં ખાસ મહત્વ રાખનાર માનસરોવર તિબ્બતની એક જીલ છે. જે વિસ્તારના 320 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલી છે. તેના ઉત્તરમાં કૈલાશ પર્વત અને પશ્ચિમમાં રાક્ષકતાલ છે. આ સમુદ્રથી લગભગ 4556 મીટરની ઉંચાઈ પર છે. તેની ત્રિજ્યા લગભગ 88 કિલોમીટર છે જયારે તેની ઊંડાઈ લગભગ 90 મીટર છે.
કૈલાશ પર્વત અને માનસરોવર ધરતીનું કેન્દ્ર છે
કૈલાશ પર્વત અને માનસરોવર ધરતીનું કેન્દ્ર માનવામાં આવે છે. માનસરોવર એવી પવિત્ર જગ્યા છે જે ભગવાન શિવનું ધામ માનવામાં આવે છે. માનસરોવર પાસે આવેલા કૈલાશ પર્વત પર ભગવાન શિવ શાક્ષાત બિરાજમાન છે. આ હુન્દુઓ માટે પ્રમુખ સ્થળ છે સંસ્કૃત શબ્દ માનસરોવર, માનસ અને સરોવર ઘ્વારા બને છે જેનો શાબ્દિક અર્થ મનનું સરોવર થાય છે.
બૌદ્ધધર્મ અને જૈન માટે પણ માનક
બૌદ્ધધર્મ માનતા લોકો કહે છે કે અહીં રાણી માયાને ભગવાન બુદ્ધની ઓળખ થયી હતી, જયારે જૈન લોકો માટે પણ આ એક પવિત્ર સ્થળ છે.