Kanjhawala Accident : મૃતકની ફ્રેન્ડ નિધિ ઘરે પરત ફરી, જાણો અત્યારસુધી ક્યાં હતી?
નિધિ છેલ્લા કેટલાક સમયથી ગાયબ હતી. હવે સામે આવી રહેલી જાણકારી અનુસાર તેને પોલીસે સુરક્ષામાં રાખી હતી.
નવી દિલ્હી : દિલ્હીના ચકચારી કાંઝાવાલા અકસ્માત કેસમાં રોજ રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે હવે મૃતક અંજલિની ફ્રેન્ડ નિધિ ઘરે પરત ફરી છે. હાલમાં જ નિધિએ મીડિયાને નિવેદન આપ્યુ હતુ અને ત્યારબાદ તે અચાનક ગાયબ થઈ ગઈ હતી. તેને મીડિયા સામે ઘણા ચૌકાવનારા ખુલાસા કર્યા હતા. મીડિયા સામે આવ્યા બાદ કે અચાનક ગાયબ થઈ ગઈ હતી અને ઘર પણ બંધ જોવા મળ્યુ હતું. હવે નિધિ પરત ફરી છે ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે તે અત્યારસુધી ક્યાં હતી?

આ કેસમાં પોલીસ સતત કાર્યવાહી કરી છે ત્યારે સામે આવેલી માહિતી અનુસાર, નિધિ પોલીસ સુરક્ષામાં હતી. પોલીસે તેને કોઈ સુરક્ષિત જગ્યાએ રાખી હતી. નિધિ સાથે એક મહિલા અને એક પુરૂષ પોલીસકર્મીઓ પણ જોવા મળ્યા હતા.
આ કેસમાં સતત નવા નવા દાવાઓ થઈ રહ્યા છે ત્યારે નિધિના નિવેદને પુરી ઘટનાને નવો વળાંક આપ્યો હતો. ઘટના સમયે નિધિ અને મૃતક અંજલિ બન્ને એકસાથે જ હતા અને સીસીટીવી પણ સામે આવ્યા હતા. ઘટના બાદ નિધિએ દાવો કર્યો હતો કે ઘટના સમયે મૃતક અંજલિ નશામાં હતી અને તેનો તેના મિત્ર સાથે ઝઘડો થયો હતો.
નિધિના આ નિવેદન બાદ કેસમાં મોટો વળાંક આવ્યો. જો કે મીડિયા સામે નિવેદન બાદ નિધિ અચાનક ગાયબ થઈ ગઈ અને તેના વિશે કંઈ જ જાણી શકાયું નહીં. બે દિવસ પહેલા 6 જાન્યુઆરીએ પોલીસે જણાવ્યું હતું કે નિધિ અને અંજલિના મિત્ર નવીનને તપાસમાં જોડાવા માટે બોલાવાયા છે. નવીન સુલતાપુરી પોલીસ સ્ટેશનની બહાર નીકળતો પણ જોવા મળ્યો હતો પરંતુ નિધિ દેખાઈ ન હતી.
હવે સામે આવી રહેલી વિગતો અનુસાર નિધિને પોલીસ સુરક્ષામાં રાખવા પાછળનું કારણ તેને ખતરો હતો. થોડા દિવસો પહેલા અંજલિના પરિવારની કેટલીક મહિલાઓએ નિધિના ઘરમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ સ્થળ પર તૈનાત દિલ્હી પોલીસના જવાનોએ સ્થિતિ સંભાળી હતી. હવે નિધિ તેના ઘરે પહોચી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
