For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘નરેન્દ્ર મોદી કોઈ બીજા દેશમાં પીએમ હોત તો તેમને રાજીનામુ આપવુ પડત'

કોંગ્રેસ અને તેમના નેતા કેન્દ્ર સરકાર અને ખાસ કરીને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધવાનો કોઈ મોકો છોડતા નથી.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અને તેમના નેતા કેન્દ્ર સરકાર અને ખાસ કરીને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધવાનો કોઈ મોકો છોડતા નથી. વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસના વરિષ્ઠ વકીલ નેતા કપિલ સિબ્બલ પણ હુમલો કરવામાં પાછળ નથી. પોતાના પુસ્તક 'શેડ્ઝ ઓફ ટ્રુથ' ના વિમોચન પ્રસંગે કપિલ સિબ્બલે નરેન્દ્ર મોદી પર હુમલો કર્યો છે. આ પુસ્તકમાં કપિલ સિબ્બલે મોદી સરકારના છેલ્લા સાડા ચાર વર્ષના કામકાજનું વિશ્લેષણ કર્યુ છે.

મોદી સરકારની નીતિઓ અસફળ

મોદી સરકારની નીતિઓ અસફળ

કપિલ સિબ્બલે લખ્યુ છે કે કેવી રીતે મોદી સરકારની નીતિઓ અસફળ રહી છે અને કેવી રીતે લોકોને કરવામાં આવેલા વચનો પૂરા ના કરીને તેમની સાથે દગો કરવામાં આવ્યો છે. સિબ્બલે આંકડા અને તર્ક સાથે પોતાના પુસ્તકમાં વાતોને સમજીવવાની કોશિશ કરી છે. પુસ્તકના વિમોચન પ્રસંગે કપિલ સિબ્બલે નોટબંધી અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ. સિબ્બલે કહ્યુ કે જો મોદી કોઈ બીજા દેશમાં હોત તો તેમને રાજીનામુ આપવુ પડત.

આ પણ વાંચોઃકૈલાશ યાત્રાએ ગયેલા રાહુલ ગાંધીનો તેના પિતાની ખૂનીએ આભાર માન્યોઆ પણ વાંચોઃકૈલાશ યાત્રાએ ગયેલા રાહુલ ગાંધીનો તેના પિતાની ખૂનીએ આભાર માન્યો

પીએમને આપવુ પડતુ રાજીનામુ

પીએમને આપવુ પડતુ રાજીનામુ

કપિલ સિબ્બલે કહ્યુ, ‘મહાન નેતા (મોદી) એ આપણને નોટબંધી આપી જેના કારણે આપણે જીડીપીનો 1.5 હિસ્સો ગુમાવી દીધો. જો તેઓ કોઈ બીજા દેશમાં હોત તો તેમને રાજીનામુ આપવુ પડત.' તેમણે કહ્યુ, ‘જે રીતે જીએસટી લાગુ કરવામાં આવ્યો તેનાથી બહુ નુકશાન થયુ. જીએસટીને બહુ હડબડાટીમાં લાગુ કરવામાં આવ્યો છે.' સિબ્બલ આટલે જ ના રોકાયા. તેમણે પોલિસી અને જીડીપી મામલે પણ મોદી સરકારને ઘેરી. કપિલ સિબ્બલે કહ્યુ, ‘તેઓ (મોદી) અમારા પર પોલિસી પેરાલિસિસનો આરોપ લગાવતા હતા, પરંતુ આ જ નીતિગત પંગુતા 8.2 ટકા સરેરાશ જીડીપી લઈને આવી જે ભારતના ઈતિહાસમાં ક્યારેય નથી થયુ. તમે વિચારો આજે તો કોઈ પોલિસી પેરીલિસિસ નથી પરંતુ તેમછતા અર્થવ્યવસ્થાની શું સ્થિતિ છે.'

મનમોહન સિંહે પણ તોડ્યુ મૌન

મનમોહન સિંહે પણ તોડ્યુ મૌન

પુસ્તકના વિમોચર પર પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે પણ કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. મનમોહન સિંહે બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો. સિંહે કહ્યુ કે દેશના બે કરોડ યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા છે પરંતુ નોકરી નથી મળી રહી. છેલ્લા ચાર વર્ષોમાં રોજગાર વૃદ્ધિદરમાં ભારે ઘટાડો થયો છે. ખેડૂતો રસ્તા પર છે તો બેરોજગારોને રોજગાર નથી મળી રહ્યો. દલિતો અને લઘુમતીઓમાં અસુરક્ષાનો માહોલ છે અને મોદી સરકારની વિદેશ નીતિ પણ અસફળ રહી છે.

આગામી ચૂંટણી ‘મોદી વિરુદ્ધ ભારત'

આગામી ચૂંટણી ‘મોદી વિરુદ્ધ ભારત'

કપિલ સિબ્બલના પુસ્તકના વિમોચનમાં સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી પણ જોડાયા. યેચુરીએ કહ્યુ કે આજે પૂછવામાં આવી રહ્યુ છે કે ચૂંટણીમાં મોદી સામે વિપક્ષનો કયો ચહેરો હશે પરંતુ આ ચર્ચા મહત્વ નથી ધરાવતી. તેમણે કહ્યુ, ‘આગામી ચૂંટણી આ સરકારને હરાવવા માટે થશે. હું કહુ છુ કે આ ચૂંટણી નેતાઓ વચ્ચે નહિ થાય પરંતુ મોદી અને ભારત વચ્ચે થશે. ચૂંટણી મોદી વિરુદ્ધ ભારત હશે.'

આ પણ વાંચોઃજમ્મુ કાશ્મીરમાં પત્થરબાજોની ભીડમાં ઘૂસી અસલી પત્થરબાજોને પકડ્યા પોલિસેઆ પણ વાંચોઃજમ્મુ કાશ્મીરમાં પત્થરબાજોની ભીડમાં ઘૂસી અસલી પત્થરબાજોને પકડ્યા પોલિસે

English summary
Kapil Sibal’s scathing attack on PM Narendra Modi, the way demonetisation was done he would have to resign in any other county
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X