કર્ણાટક ચૂંટણી રીઝલ્ટ: સિદ્ધારમૈયાએ પેટાચૂંટણીમાં હાર બાદ સોનિયા ગાંધીને મોકલ્યું રાજીનામું
કર્ણાટકમાં 15 બેઠકો પર પેટા ચૂંટણીની મતગણતરી આજે ચાલી રહી છે, 6 ડિસેમ્બરે 15 વિધાનસભા બેઠકોની પેટા-ચૂંટણીઓ, ભાજપ મોટી જીત તરફ જઇ રહી છે.
કર્ણાટકમાં 15 બેઠકો પર પેટા ચૂંટણીની મતગણતરી આજે ચાલી રહી છે, 6 ડિસેમ્બરે 15 વિધાનસભા બેઠકોની પેટા-ચૂંટણીઓ, ભાજપ મોટી જીત તરફ જઇ રહી છે. સ્થાનિક મીડિયા અનુસાર, ભાજપે 12 બેઠકો જીતી લીધી છે, કોંગ્રેસ 2 અને 1 બેઠક અપક્ષ, જ્યારે જેડીએસ ખાતું પણ ખુલ્યું નથી, પેટા ચૂંટણીમાં મળેલી મોટી જીત બાદ ભાજપના છાવણીમાં ખુશીની લહેર છે, બીજી તરફ કોંગ્રેસના છાવણીમાં નિરાશા છે.
|
સિદ્ધારમૈયાએ સોનિયાને રાજીનામું મોકલ્યું
કર્ણાટક વિધાનસભા પેટા-ચૂંટણીઓમાં મળેલી પરાજય બાદ સિદ્ધારમૈયાએ કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા પદેથી રાજીનામું આપી દીધું છે, મીડિયા સાથે વાત કરતાં સિદ્ધારમૈયાએ કહ્યું કે તે હારની જવાબદારી લે છે અને જનાદેશનો આદર કરે છે, તેમણે પોતાના પક્ષ પ્રમુખ પદનું સોનિયાને ગાંધીને રાજીનામું મોકલી આપ્યું છે.
|
વિધાનસભામાં ભાજપને સંપૂર્ણ બહુમતી
પેટાચૂંટણીના પરિણામો પછી, વિધાનસભામાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળી છે, વિધાનસભાના આંકડા જોઈએ તો, 222 સભ્યોની વિધાનસભામાં ભાજપ પાસે હવે 117 ધારાસભ્યો છે, કોંગ્રેસ પાસે 68 અને જેડીએસ પાસે 34 ધારાસભ્યો છે, ત્રણ ધારાસભ્યો અપક્ષ છે. હા, બહુમતીને 112 ધારાસભ્યોની જરૂર છે, ભાજપ પાસે બહુમતી કરતાં 5 ધારાસભ્યો વધારે છે.
12માંથી 11ને કેબિનેટ પ્રધાન બનાવાશે
મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પાએ કહ્યું કે 12 વિજેતા ઉમેદવારોમાંથી 11 ને કેબિનેટ પ્રધાન બનાવવામાં આવશે, 11 પ્રધાનો બનાવવામાં કોઈ મુશ્કેલી નથી, હું આગામી 3-4 દિવસમાં દિલ્હી જઈશ અને અંતિમ નિર્ણ લઈશ, મને ખુશી છે કે મને આટલો સારો ટેકો મળ્યો છે.