કર્ણાટક ચૂંટણી: BS યેદિયુરપ્પાનો દાવો- BJP 130-135 સીટો જીતશે, અમારો 75-80% સમર્થન છે
Karnataka Election: કર્ણાટક વિધાનસભા ચૂંટણી-2023 માટે તમામ 224 બેઠકો માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા બીએસ યેદિયુરપ્પાએ શિવમોગાના શિકારીપુરા ખાતે પોતાનો મત આપ્યો.
વોટ આપ્યા બાદ યેદિયુરપ્પાએ કહ્યું છે કે ભાજપને 130-135 સીટો મળશે. પોતાનો મત આપ્યા બાદ મીડિયા સાથે વાત કરતા બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે, "હું તમામ લોકોને વિનંતી કરું છું કે તેઓ વહેલામાં વહેલી તકે મતદાન કરે."

તેમણે કહ્યુ કે, મને 100 ટકા ખાતરી છે કે તેઓ ભાજપને મત આપશે. 75-80 ટકા વધુ ભાજપને સમર્થન કરશે. અમે 130-135 સીટો જીતીશું. બીએસ યેદિયુરપ્પા કહે છે, "વિજયેન્દ્રને અહીં 40,000 થી વધુ વોટ મળવાના છે. અમે પૂર્ણ બહુમતી મેળવીશું અને સરકાર બનાવીશું, તેમાં કોઈ શંકા નથી. લોકોનો પ્રતિસાદ ઘણો સારો છે. લોકો પણ તેમના મત આપી રહ્યા છે."
તમને જણાવી દઈએ કે બીએસ યેદિયુરપ્પાના પુત્ર બીવાય વિજયેન્દ્ર શિકારીપુરા વિધાનસભા સીટથી ચૂંટણી લડી રહ્યા છે. શિકારીપુરા મતવિસ્તાર બીએસ યેદિયુરપ્પાની પરંપરાગત બેઠક હતી. BS યેદિયુરપ્પા તેમના પુત્ર BY વિજયેન્દ્ર સાથે તેમના ગૃહ મતવિસ્તારમાં મતદાન કરતા પહેલા શિકારીપુરામાં કે શ્રી હુચ્ચારાયા સ્વામી મંદિરની મુલાકાત લીધી હતી.
ચૂંટણીની રાજનીતિ છોડ્યા પછી, બીએસ યેદિયુરપ્પાએ સત્તાધારી પક્ષ ભાજપને તેની સત્તા જાળવી રાખવામાં મદદ કરવા માટે રાજ્યભરમાં ભાજપ માટે વ્યાપક પ્રચાર કર્યો. તેમણે શિકારીપુરામાં તેમના પુત્ર માટે પ્રચાર પણ કર્યો અને તેમના મતવિસ્તારના મતદારોને વિનંતી કરી કે તેઓ વિજયેન્દ્રને જંગી બહુમતીથી જીતવામાં મદદ કરે.
શિકારીપુરામાં કોંગ્રેસે બીવાય વિજયેન્દ્ર સામે જીબી માલતેશને મેદાનમાં ઉતાર્યા છે. 2018ની વિધાનસભા ચૂંટણીમાં તેમને યેદિયુરપ્પાએ મોટા માર્જિનથી હરાવ્યા હતા.












Click it and Unblock the Notifications
