karnataka exit poll 2023 : એક્સિટ પોલના આંકડાની વિશ્વસનીયતા કેટલી? જાણો 2018માં શું થયું હતું?
Karnataka exit poll 2023: કર્ણાટકની 224 વિધાનસભા બેઠકો પર મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. આ મતદાન પૂર્ણ થયા બાદ તમામ એજન્સિઓ અને ન્યૂઝ ચેનલ દ્વારા એક્સિટ પોલ જાહેર કરવામાં આવે છે. જેમાં જણાવવામાં આવ્યા મુજબ કર્ણાટકની ચૂંટણીના શું પરિણામો આવી શકે છે? શું ભારતીય જનતા ફરી સત્તા પર આવશે કે, કોંગ્રેસ બાજી મારી જશે?
આ બધા વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, આખરે આ એક્ઝિટ પોલના પરિણામો કેટલા સાચા છે? ગત વખતે કર્ણાટક ચૂંટણીને લઈને એક્ઝિટ પોલમાં શું દાવા કરવામાં આવ્યા હતા? કયા સર્વેના પરિણામો સાચા અને કયા ખોટા નીકળ્યા?
ગત વખતે શું થયું હતું? - છેલ્લી વખત એટલે કે વર્ષ 2018માં કર્ણાટકમાં 12મી મેના રોજ મતદાન થયું હતું. પરિણામ 15 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. કોઈપણ પક્ષને સંપૂર્ણ બહુમતી મળી નથી. જે બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી. ભાજપના 104 ઉમેદવારો જીત્યા હતા. બીજા નંબર પર કોંગ્રેસના 80 અને જેડીએસના 37 ઉમેદવારો ચૂંટણી જીત્યા.
બીજેપી નેતા બીએસ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, પરંતુ બહુમતી સાબિત કરી શક્યા નહીં. આ કારણે તેમણે છ દિવસ બાદ જ હોદ્દો છોડવો પડ્યો હતો. આ પછી કોંગ્રેસ અને JDSએ મળીને સરકાર બનાવી. જેડીએસ નેતા એચડી કુમારસ્વામી મુખ્યમંત્રી બન્યા હતા.
કુમારસ્વામીએ 23 મે, 2018ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જોકે, બાદમાં જેડીએસ અને કોંગ્રેસના ઘણા ધારાસભ્યો તેમની પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા. 26 મે, 2019 ના રોજ, બીએસ યેદિયુરપ્પા ફરી એકવાર મુખ્યમંત્રી બન્યા હતા. 28 જુલાઈ, 2021 ના રોજ, બસવરાજ બોમાઈને યેદિયુરપ્પાની જગ્યાએ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
એક્ઝિટ પોલમાં શું દાવા કરવામાં આવ્યા હતા? - 2018ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કુલ આઠ એજન્સીઓએ એક્ઝિટ પોલ બહાર પાડ્યા હતા. જેમાંથી સાતે ત્રિશંકુ વિધાનસભાનો દાવો કર્યો હતો, જ્યારે એકે ભાજપની જીતનો દાવો કર્યો હતો. પરિણામો તદ્દન સાચા નીકળ્યા. ઈન્ડિયા ટુડે એક્સિસ માય ઈન્ડિયા, ટાઈમ્સ નાઉ-વીએમઆર અને ઈન્ડિયા ટીવી-વીએમઆર સિવાય તમામ એજન્સીઓએ ભાજપને સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કર્યો હતો.