5 મેના રોજ યોજાશે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી
નવી દિલ્હી, 20 માર્ચ: રાજકીય દ્રષ્ટિકોણથી કંઇક અલગ જ કરીને અવાર-નવાર ચર્ચામાં રહેનાર પ્રદેશ કર્ણાટકમાં વિધાનસભાની ચુંટણી તારીખ આજે જાહેર કરવામાં આવી છે. ચુંટણી પંચ આજે બુધવારે ચુંટણીની તારીખોની ઔપચારિક જાહેરાત કરી છે કે 5 મે ના રોજ કર્ણાટક વિધાનસભાની ચુંટણીઓ યોજાશે.
કર્ણાટકમાં વિધાનસભાની ચુંટણી 5 મેના રોજ ચુંટણી યોજાશે અને 8 મેના રોજ મતગણતરી કરવામાં આવશે. કર્ણાટકમાં 10 એપ્રિલના ચુંટણીનું જાહેરનામું બહાર પાડવામં આવશે.
મુખ્ય ચુંટણી પંચ અધિકારી વી એસ સંપત્તે આ અંગે જાહેરાત કરી હતી. એક જ તબક્કામાં રાજ્યમાં 224 સીટો પર મતદાન કરવામાં આવશે. કર્ણાટકની 224 સીટોવાળી વિધાનસભાનો કાર્યકાળ ત્રણ જૂનના રોજ પુરો થાય છે. રાજ્યમાં 419 લાખ મતદારો છે તથા 50,446 મતદાન કેન્દ્ર છે. રાજ્યમાં લગભગ 99 ટકા મતદારો પાસે મતદાન કાર્ડ છે.
ચુંટણી કાર્યક્રમ
10 એપ્રિલના રોજ જાહેરાનામું બહાર પાડવામાં આવશે
17 એપ્રિલના રોજ ફોર્મ ભરવાની અંતિમ તારીખ
18 એપ્રિલના રોજ ચકાસણી કરવામાં આવશે
20 એપ્રિલના રોજ ફોર્મ પાછું ખેચવાની અંતિમ તારીખ
5 મેના રોજ મતદાન
8 મેના રોજ મતગતરીની સાથે જ પરિણામ જાહેર કરવામાં આવશે

ચુંટણી પંચે તારીખ જાહેર કરતાંની સાથે મતદારોને અપીલ કરી છે કે તે પોતાના નામ ચકાસણી કરી લે કે તેમનું નામ યાદીમાં છે કે નથી તથા જેમને મતદાન કાર્ડ મળ્યા નથી તે અરજી દાખલ કરી લે. મતદાર યાદી તૈયારી કરવાનું કામ અંતિમ ચરણમાં છે.
ચુંટણીની તારીખોની જાહેરાત થતાં જ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ સહીત બધા પક્ષોએ કમર કસી લીધી છે. જો કે આ વખતે ભાજપના માટે જોરદાર પડકાર છે કારણ કે હાલમાં જગદીશ શેટ્ટાર સરકારની સ્થિતી નબળી છે અને તેમના માટે નવી સરકાર બનાવવી આસાન નથી.
ચુંટણી પંચે જાહેર કરી દિધું છે આગામી 5 મે ના રોજ એક તબક્કામાં ચુંટણી યોજાશે અને 8 મે ના રોજ પરિણામો જાહેર થશે. અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચુંટણી પહેલાં જ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં યેદુયુરપ્પાએ ભાજપનો સાથ છોડી દિધો છે અને નવી પાર્ટીની રચના કરી છે. જ્યારે સ્થાનિક ચુંટણીમાં ભાજપે ભારે નુકસાન વેઠવું પડ્યું હતું, ત્યારે આવા સમયે એ જોવાનું રહ્યું કે કર્ણાટકના આગામી મુખ્યમંત્રી કોણ બનશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
