કાશ્મીર: શ્રી નગરમાં CRPF પાર્ટી ઉપર ગ્રેનેડ હુમલો, 3 લોકો ઘાયલ
કાશ્મીર ખીણમાં ભારતીય સૈન્યના હાથથી મળેલી હારને કારણે આતંકવાદી સંગઠનો ગુસ્સે છે. આવી સ્થિતિમાં તેઓ હવે ગુપ્ત રીતે સુરક્ષા દળો અને સામાન્ય નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરમાં શનિવારે
કાશ્મીર ખીણમાં ભારતીય સૈન્યના હાથથી મળેલી હારને કારણે આતંકવાદી સંગઠનો ગુસ્સે છે. આવી સ્થિતિમાં તેઓ હવે ગુપ્ત રીતે સુરક્ષા દળો અને સામાન્ય નાગરિકોને નિશાન બનાવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરની ઉનાળાની રાજધાની શ્રીનગરમાં શનિવારે સાંજે આતંકવાદીઓએ સીઆરપીએફ પાર્ટીને નિશાન બનાવતા ગ્રેનેડનો હુમલો કર્યો હતો. જેમાં સૈનિકો બચી ગયા હતા પરંતુ 3 નાગરિકો ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા બાદ આતંકવાદીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ સીઆરપીએફની એક ટીમ શ્રીનગરના બર્બર શાહ વિસ્તારમાં નિયમિત પેટ્રોલીંગ પર હતી. આ દરમિયાન ઓચિંતો હુમલો કરનારા આતંકવાદીઓએ તેઓ પર ગ્રેનેડ ફેંકી દીધો હતો. ખીણની પરિસ્થિતિ જોતા જવાન હંમેશા સજાગ રહે છે, આવી સ્થિતિમાં તેઓ બચી ગયા, પરંતુ ત્યાં હાજર ત્રણ નાગરિકો ઘાયલ થયા. જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે જ સમયે, આ ઘટનાને અંજામ આપીને આતંકીઓ નાસી ગયા હતા. જેના કારણે સમગ્ર વિસ્તારને ઘેરી લઈને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સાથે તમામ નાકા પાર્ટીઓને પણ એલર્ટ કરી દેવાઇ છે.
5 ઓગસ્ટ 2019 ના રોજ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી દેવામાં આવી હતી. આ સાથે સેનાએ પણ ઘણા મહત્વપૂર્ણ ઓપરેશન્સ ચલાવીને આતંકવાદને નબળુ બનાવ્યુ હતુ. તાજેતરમાં પીએમ મોદીએ ખીણના નેતાઓ સાથે બેઠક કરી હતી. જેમાં અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય છેલ્લા બે વર્ષોમાં ખીણમાં પહેલા કરતાં વધુ શાંતિ છે, જેને પાકિસ્તાન અને આતંકવાદી સંગઠનો દ્વારા પસંદ કરવામાં આવી રહી નથી. આવી સ્થિતિમાં તેમની તરફથી સતત હુમલો કરવામાં આવી રહ્યો છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા








Click it and Unblock the Notifications
