'દિલ્લી સ્ટાર્ટઅપ પૉલિસી' લૉન્ચ, બિઝનેસ શરુ કરનાર યુવાનોને મળશે અઢળક મદદ
કેજરીવાલ સરકારે યુવાનોને બિઝનેસમાં મદદ કરવા માટે સ્ટાર્ટઅપ પૉલિસી લૉન્ચ કરી છે.
નવી દિલ્લીઃ કેજરીવાલ સરકારે યુવાનોને બિઝનેસમાં મદદ કરવા માટે સ્ટાર્ટઅપ પૉલિસી લૉન્ચ કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે માહિતી આપીને જણાવ્યુ કે દિલ્લી કેબિનેટને 'દિલ્લી સ્ટાર્ટ-અપ' નીતિ પાસ કરી છે જે યુવાનોને વેપાર શરુ કરવામાં મદદ કરશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ, 'જે યુવાનો પોતાનો વેપાર શરુ કરવા માંગે છે, દિલ્લી સરકાર તેમની મદદ કરશે. પૈસાની મદદ સાથે-સાથે અન્ય પ્રકારની પણ મદદ દિલ્લી સરકાર કરશે. દિલ્લી સરકાર ઘણી બધી નાણાકીય મદદ પૂરી પાડશે.'

સીએમ કેજરીવાલે પૉલિસી વિશે જણાવીને કહ્યુ કે દિલ્લી સરકારની કોઈ પણ કૉલેજમાં ભણતો વિદ્યાર્થી જો સ્ટાર્ટઅપ કરવા માંગતો હોય અને ભણતા-ભણતા તેને કોઈ પ્રોડક્ટ બનાવી તો દિલ્લી સરકાર તેને ભણવા માટે 2 વર્ષની રજા આપવા માટે પણ તૈયાર છે જેથી તે છાત્ર પોતાનો પૂરો સમય પોતાની પ્રોડક્ટ પર લગાવી શકે.
'દિલ્લી સ્ટાર્ટ-અપ' નીતિ વિશે સીએમે કહ્યુ, 'જો યુવાન પોતાનો બિઝનેસ શરુ કરવા માટે કોઈ જગ્યા ભાડા પર લે તો તેનુ અડધુ ભાડુ દિલ્લી સરકાર આપી શકે છે, ત્યાં સુધી કે કર્મચારીઓને જે પગાર આપવામાં આવશે તેનો પણ અમુક ભાગ સરકાર આપવા માટે તૈયાર છે. વળી પેટન્ટ ટ્રેડમાર્ક કે કૉપીરાઈટ માટે અપ્લાય કરશો તો તેની ફી દિલ્લી સરકાર પાછી આપી શકે છે.'
આ ઉપરાંત ટ્વિટ કરીને કેજરીવાલે લખ્યુ, 'અમે દિલ્લીને ભારતની સ્ટાર્ટ-અપ રાજધાની બનાવવા માટે પ્રતિબદ્ધ છે. મહત્વાકાંક્ષી દિલ્લી સ્ટાર્ટ અપ પૉલિસીનો શુભારંભ.' મુખ્યમંત્રીએ કહ્યુ, 'યુવાનો આપણા દેશનુ ભવિષ્ય છે. તેમની પાસે અપાર ક્ષમતા છે. પરંતુ આપણી શિક્ષણ પ્રણાલી અને રાજનીતિ એવી છે કે આજે આપણા યુવાનો બેરોજગાર છે, એ રોજગારની શોધમાં છે.'
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
