પંજાબના મંત્રી વિજય સિંગલાની ધરપકડ મુદ્દે કેજરીવાલની પ્રતિક્રિયા, કહ્યું-ભગવંત માન પર ગર્વ!
આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારે તેમના કેબિનેટ પ્રધાન વિજય સિંગલાને ભ્રષ્ટાચારના આરોપમાં કાઢી મૂકવા બદલ તેમના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પ્રશંસા કરી છે.
નવી દિલ્હી, 24 મે : આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મંગળવારે તેમના કેબિનેટ પ્રધાન વિજય સિંગલાને ભ્રષ્ટાચારના આરોપમાં કાઢી મૂકવા બદલ તેમના પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પ્રશંસા કરી છે. એક ટ્વીટમાં કેજરીવાલે કહ્યું કે ભગવંત માનના પગલાથી તેમની આંખોમાં આંસુ આવી ગયા છે. સીએમ કેજરીવાલે લખ્યું કે ભગવંત માન પર અમને પર ગર્વ છે. તમારા પગલાથી મારી આંખોમાં આંસુ આવી ગયા. સમગ્ર દેશ આજે AAP પર ગર્વ અનુભવી રહ્યો છે.

બીજી તરફ પંજાબના સીએમ ભગવંત માને કહ્યું કે આમ આદમી પાર્ટીનો જન્મ ઈમાનદાર વ્યવસ્થા સ્થાપિત કરવા માટે થયો છે. અરવિંદ કેજરીવાલે હંમેશા કહ્યું છે કે તેઓ ભ્રષ્ટાચાર સહન કરશે નહીં, પછી તે પોતાનો હોય કે બીજાનો. આરોગ્ય મંત્રી વિજય સિંગલા સામે ભ્રષ્ટાચારના પુરાવા મળી આવતાં જ તેમને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આ સાથે FIR માટે પણ આદેશ આપવામાં આવ્યા છે.
વિજિલન્સ બ્યુરોએ સિંગલાની ધરપકડ કરી છે. ટેન્ડરો પાસ કરવા માટે કથિત રીતે એક ટકા કમિશનની માંગણી કરવા બદલ રાજ્ય કેબિનેટમાંથી તેમને આરોગ્ય પ્રધાન પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. માનને ટ્વિટર પર સિંગલાને હટાવવાની જાહેરાત કરતા કહ્યું કે તેમની સરકાર ભ્રષ્ટાચાર માટે ઝીરો ટોલરન્સ ધરાવે છે. 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર હું સહન નહીં કરું. અમે પંજાબને ભ્રષ્ટાચાર મુક્ત રાજ્ય બનાવવા માંગીએ છીએ.
ભગવંત માને સરકારની રચનાના બે મહિના બાદ આ કાર્યવાહી કરી છે. 117 સભ્યોની વિધાનસભામાં આમ આદમી પાર્ટીને 92 બેઠકો મળી હતી. સિંગલા માણસા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેણે પંજાબી ગાયક અને કોંગ્રેસના ઉમેદવાર શુભદીપ સિંહ સિદ્ધુને હરાવ્યા હતા.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
