ખુર્શીદ રાજીનામું નહીં આપે ત્યાંસુધી આંદોલનઃ કેજરીવાલ
કેજરીવાલે જણાવ્યા અનુસાર ગઇ રાત્રે પોલીસકર્મીઓએ એક કાર્યકર્તાને માર માર્યો હતો અને કહ્યું હતું કે જો આંદોલન બંધ નહીં કરવામાં આવે તો બે ચાર કેસ તમારી વિરુદ્ધ ફાઇલ કરવામાં આવશે. અરવિંદે કહ્યું કે આ લોકો દ્વારા અમારા કાર્યકર્તાઓને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ અમે સરકારને જણાવી દેવા માગીએ છીએ કે અમે આ રીતે ડરવાના નથી. જો કે, સૂત્રોના હવાલાથી મળેલી માહિતી અનુસાર અરવિંદ કેજરીવાલને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે અમે અમારું આંદોલન ચાલું રાખીશું અને સંસદની સામે ધરણા પર બેસીશું.
તેમણે કહ્યું કે સલમાન ખુર્શીદે વિક્લાંગો માટે આવેલી રકમનો ગોટાળો કર્યો છે. અમે તેમનું રાજીનામું લઇને જ રહીશું અને પ્રધાનમંત્રીને મુદ્દે મૌન રહેવા નહીં દઇએ. સાથે જ તેમણે દેશના લોકોને અપીલ કરી છે કે તેઓ મોટી સંખ્યામાં એકત્રીત થાય અને અમારો સાથ આપે.
આ અંગે સરકાર તરફથી દિગ્વિજય સિંહે કહ્યું કે જો કોઇને ફરિયાદ છે તો તે એફઆઇઆર કરે, કોઇના કહેવાથી એક મંત્રીને રાજીનામું આપવા કહીં શકાય નહીં, કારણ કે તેમના વિરુદ્ધ કોઇ પણ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.