For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખુર્શીદથી 'નારાજ' કેજરીવાલે માગ્યું 'રાજીનામુ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

salman-khurshid-arvind
નવી દિલ્હી, 12 ઑક્ટોબર: સોનિયા ગાંધી માટે જીવ આપવાની વાત કરનારા સલમાન ખુર્શીદ અને ભ્રષ્ટાચાર વિરૂદ્ધ જંગ લડી રહેલા અરવિંદ કેઝરીવાલ વચ્ચે કોર્ટમાં આરપારની જંગ ખેલાશે. સલમાન ખુર્શીદે કેજરીવાલ વિરૂદ્ધ કેસ કરવાનો નિર્ણય કરી લીધો છે.

ખુર્શીદે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે કેજરીવાલે જે આરોપો લગાવ્યાં છે તેના જવાબો તે કોર્ટમાં આપશે. અને સાથે સાથે કેજરીવાલ વિરૂદ્ધ માનહાનિનો કેસ કરશે. બુધવારે કેજરીવાલે સલમાન ખુર્શીદ અને તેમની પત્ની લુઇસ ખુર્શીદની એનજીઓ હુસૈન મેમોરિયલ ટ્રસ્ટ પર 71.50 લાખ રૂપિયાની હેરાફેરી કરવાનો આરોપ લગાવ્યો હતો. કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે એનજીઓ કે યૂપીના કેટલાક જીલ્લાઓમાં જઇને અધિકારીઓની નકલી સહી કરીને પૈસામાં ગોટાળા કર્યા.

કેજરીવાલનો આરોપ છે કે ખુર્શીદનું ટ્રસ્ટ વિકલાંગ લોકોને સહાયતા પૂરી પાડવાના નામે પૈસાની ઉઘરાણી કરે છે. આ આરોપો સાથે કેજરીવાલે ખુર્શીદ પાસે રાજીનામાની માંગણી કરી છે.

English summary
Congress leader and law minister Salman Khurshid has said that he would file court case against Arvind Kejriwal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X