કુલભુષણને અપીલનો અધિકાર મળ્યો, ઈન્ટરનેશનલ કોર્ટ સામે પાકિસ્તાન ઝુક્યુ!
પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવને મોટી રાહત આપતા પાકિસ્તાનની સંસદે સંયુક્ત બેઠકમાં આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (ICJ) ના આદેશો અનુસાર જાધવને અપીલ કરવાનો અધિકાર આપવાનું બિલ પસાર કર્યું છે.
નવી દિલ્હી, 17 નવેમ્બર : પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવને મોટી રાહત આપતા પાકિસ્તાનની સંસદે સંયુક્ત બેઠકમાં આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (ICJ) ના આદેશો અનુસાર જાધવને અપીલ કરવાનો અધિકાર આપવાનું બિલ પસાર કર્યું છે. જો કે વિરોધ પક્ષો તેનો વિરોધ કરી રહ્યા હતા, પરંતુ ઈમરાન સરકારે આઈસીજેના દબાણ સામે ઝુકવું પડ્યું હતું.
પાકિસ્તાન સરકાર ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને જાસૂસ કહીને તેના પર અત્યાચાર કરી રહી હતી. આ પછી ભારત સરકારે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં અપીલ કરી. ત્યાંથી કુલભૂષણની તરફેણમાં નિર્ણય આવ્યો અને પાકિસ્તાન સરકારને સંસદમાં બિલ પસાર કરવાની સૂચના આપવામાં આવી. વિપક્ષના વિરોધ છતાં 20 મે 2020ના રોજ ઈમરાન સરકારે જાધવના કેસમાં વટહુકમ રજૂ કર્યો. જેનું નામ 'ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ રિવ્યુ એન્ડ રિકોન્સિડેશન ઓર્ડિનન્સ 2020' હતું.
તમને જણાવી દઈએ કે 50 વર્ષીય નિવૃત્ત નૌસેના અધિકારી કુલભૂષણ જાધવને પાકિસ્તાનની સૈન્ય અદાલતે એપ્રિલ 2017માં જાસૂસી અને આતંકવાદના આરોપમાં મૃત્યુદંડની સજા સંભળાવી હતી. આ સિવાય તેને કોન્સ્યુલર એક્સેસ પણ આપવામાં આવ્યો ન હતો. જો કે, ICJના નિર્ણય બાદ ભારતીય દૂતાવાસના અધિકારીઓએ તેની સાથે મુલાકાત કરી હતી.
ભારત સરકારના જણાવ્યા અનુસાર, કુલભૂષણ જાધવ ભારતીય નાગરિક છે અને તેને નેવીમાં પણ સેવા આપી હતી. નિવૃત્તિ બાદ તે ઈરાનમાં વેપાર કરતા હતા. પાકિસ્તાન સરકારનો આરોપ કે તેઓ બલૂચિસ્તાનમાં વિધ્વંસક ગતિવિધિઓમાં સામેલ હતા, જે સંપૂર્ણપણે પાયાવિહોણા છે.