લખીમપુર ખીરી હિંસાઃ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીને કોર્ટમાંથી મોટી રાહત, નહિ નોંધાય કેસ
લખીમપુર ખીરીમાં થયેલી હિંસા મામલે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીને સીજેએમ કોર્ટમાંથી મોટી રાહત મળી ગઈ છે.
લખીમપુર ખીરીઃ લખીમપુર ખીરીમાં થયેલી હિંસા મામલે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીને સીજેએમ કોર્ટમાંથી મોટી રાહત મળી ગઈ છે. વાસ્તવમાં, હિંસા દરમિયાન માર્યા ગયેલા પત્રકાર રમન કશ્યપના ભાઈએ કોર્ટમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા સહિત 14 લોકો સામે કેસ લખવાની માંગને લઈને સીઆરપીસીની કલમ156(3) હેઠળ અરજી કરી હતી. સીજેએમ કોર્ટે આ મામલે તમામ દલીલો સાંભળ્યા બાદ અરજી ફગાવી દીધી છે.

લખીમપુર ખીરી હિંસામાં માર્યા ગયા હતા 8 લોકો
લખીમપુર ખીરીના તિકુનિયામાં ગઈ 3 ઓક્ટોબરના રોજ થયેલી હિંસામાં ચાર ખેડૂતો અને પત્રકાર રમન કશ્યપ સહિત આઠ લોકોના મોત થઈ ગયા હતા. પત્રકાર રમન કશ્યપના ભાઈએ કોર્ટમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા સહિત 14 લોકો સામે કેસ લખવાની માંગને લઈને અરજી કરી હતી. સીજેએમ ચિંતારામે તિકુનિયાથી રિપોર્ટ મંગાવીને આ અરજી પર સુનાવણી માટે 15 નવેમ્બરની તારીખ આપી હતી. જો કે, તિકુનિયા પોલિસને રિપોર્ટ ન આવવાના કારણે 15 નવેમ્બરે સુનાવણી થઈ શકી નહિ. કોર્ટે 25 નવેમ્બરની આગલી તારીખ નક્કી કરી. તિકુનિયા પોલિસે પોતાનો રિપોર્ટ 25 નવેમ્બરે સીજેએમ કોર્ટ પાસે મોકલ્યો જેના પર ચર્ચા માટે પવન કશ્યપના વકીલે સમય માંગ્યો હતો.
મોડી સાંજે કોર્ટે સંભળાવ્યો ચુકાદો
આના પર કોર્ટે સુનાવણી માટે 1 ડિસેમ્બરની તારીક નક્કી કરી. આ દિવસે અરજી પર સુનાવણી પૂરી થઈ ગઈ પરંતુ સીજેએમ ચિંતારામે ચુકાદો 6 ડિસેમ્બર માટે સુરક્ષિત રાખી લીધો હતો. જો કે 6 ડિસેમ્બરે પણ ચુકાદો સંભળાવી શકાયો નહિ અને સીજેએમ કોર્ટે આદેશ માટે 7 ડિસેમ્બરની તારીખ નક્કી કરી. સીજેએમ ચિંતારામે મંગળવારે મોડી સાંજે આ મામલે પત્રકાર રમન કશ્યપના ભાઈ પવન કશ્યપની અરજી ફગાવી દીધી.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
