Lakhimpur Kheri violence : સુપ્રીમ કોર્ટે સ્ટેટસ રિપોર્ટમાં વિલંબ બદલ યુપી સરકારને આપ્યો ઠપકો

સુપ્રીમ કોર્ટે લખીમપુર ખેરી હિંસામાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવામાં વિલંબ બદલ ઉત્તર પ્રદેશ સરકારને ઠપકો આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે, યુપી સરકાર આ કેસમાં પોતાના પગ પાછળ ખેંચી રહી છે.

Lakhimpur Kheri violence : સુપ્રીમ કોર્ટે લખીમપુર ખેરી હિંસામાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવામાં વિલંબ બદલ ઉત્તર પ્રદેશ સરકારને ઠપકો આપ્યો છે. કોર્ટે જણાવ્યું છે કે, યુપી સરકાર આ કેસમાં પોતાના પગ પાછળ ખેંચી રહી છે. તેમને લાગે છે કે, રાજ્ય સરકાર આ મામલે તેના પગ ખેંચી રહી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી ખંડપીઠે જણાવ્યું છે કે, અમે ગઈ રાત સુધી રાહ જોઈ હતી, પરંતુ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો નથી. જો કે, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કોર્ટને જણાવ્યું હતું કે, રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે.

Lakhimpur Kheri violence

'અમને લાગે છે કે તમે તમારા પગ ખેંચી રહ્યા છો'

'અમને લાગે છે કે તમે તમારા પગ ખેંચી રહ્યા છો'

સુપ્રીમ કોર્ટે યુપીના લખીમપુર હિંસા કેસમાં તપાસ સંબંધિત સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવામાં વિલંબ પર નારાજગી વ્યક્ત કરી છે. આ મામલાની સુનાવણી કરતી વખતેસુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર આ મામલે પોતાના પગ ખેંચી રહી છે. આ કેસની તપાસમાં થયેલી પ્રગતિ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, 'અમને લાગે છે કે,તમે તમારા પગ ખેંચી રહ્યા છો. આ સાથે જ ખાતરી કરો કે તમે સાક્ષીઓનું રક્ષણ કરો છો. બુધવારના રોજ આ મામલાની સુનાવણી દરમિયાન CJI નીઆગેવાનીવાળી સુપ્રીમ કોર્ટની બેંચે જણાવ્યું હતું કે, અમે ગઈ રાત સુધી રાહ જોઈ હતી, પરંતુ કંઈ દાખલ કરવામાં આવ્યું ન હતું. જો કે, એડવોકેટ હરીશ સાલ્વેએ કોર્ટનેજાણ કરી હતી કે, રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે.

યુપી સરકાર આગામી સપ્તાહ સુધીમાં નવો રિપોર્ટ આપશે : સુપ્રીમ કોર્ટ

યુપી સરકાર આગામી સપ્તાહ સુધીમાં નવો રિપોર્ટ આપશે : સુપ્રીમ કોર્ટ

ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન. વી. રમનાએ સવાલ કર્યો છે કે, 'જો તમે સુનાવણીની થોડી મિનિટો પહેલા જ રિપોર્ટ રજૂ કરો તો અમે કેવી રીતે વાંચી શકીએ?

અમે સુનાવણીના ઓછામાં ઓછા એક દિવસ પહેલા તેને દાખલ કરવાની અપેક્ષા રાખીએ છીએ. અમે ક્યારેય જણાવ્યું નથી કે, તે સીલબંધ કવરમાં હોવું જોઈએ.

ગઈકાલે અમે 1 વાગ્યા સુધી રાહ જોઈ. આ શું છે.' હવે સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને આગામી સપ્તાહ સુધીમાં નવો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે.

મુખ્યન્યાયાધીશે કહ્યું, 'તમે કહો છો કે તમે 44 સાક્ષીઓની તપાસ કરી છે. 4 સાક્ષીઓનું નિવેદન 164 હેઠળ કરવામાં આવ્યું છે. બાકીના લોકોએ તેમનું નિવેદન કેમ નોંધ્યુંનથી? CJI એ પણ પૂછ્યું કે આ કેસમાં અત્યાર સુધી કેટલી ધરપકડ કરવામાં આવી છે.

લખીમપુર ખેરી કેસમાં કુલ 10 ધરપકડ

લખીમપુર ખેરી કેસમાં કુલ 10 ધરપકડ

સુપ્રીમ કોર્ટના પ્રશ્ન પર સાલ્વેએ જણાવ્યું હતું કે, 10 ધરપકડ કરવામાં આવી છે. બે પ્રકારના ગુના હતા એક ગુનામાં લોકો પર કાર ઘુસી હતી. બીજું થયું જ્યારે કારમાં બેલોકો માર્યા ગયા હતા. તેને તપાસવું થોડું મુશ્કેલ છે, કારણ કે ત્યાં મોટી ભીડ હતી. જેના પર CJI જસ્ટિસ રમનાએ આગામી બુધવારના રોજ ફરી આ મામલે સુનાવણીકરવા જણાવ્યું હતું. તેમણે કહ્યું, અરજદાર કહે છે કે, સ્ટેટસ રિપોર્ટ તેમને આપવામાં આવ્યો ન હતો. તે સંવેદનશીલ બાબત છે. આ મામલાની સુનાવણી 26 ઓક્ટોબરસુધી મુલતવી રાખવામાં આવી છે.

લખીમપુર ખેરી હિંસામાં કુલ 8 લોકોના થયા હતા મોત

લખીમપુર ખેરી હિંસામાં કુલ 8 લોકોના થયા હતા મોત

આ કેસમાં મુખ્ય આરોપીના પુત્ર આશિષ મિશ્રા અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજયકુમાર મિશ્રા ટેની સહિત બાકીના 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

નોંધપાત્ર વાત એ છે કે, 3 ઓક્ટોબરના રોજ લખીમપુર ખેરીમાં, વિરોધ કરી રહેલા ખેડૂતો પર રસ્તા પર એક એસયુવી ઘુસી ગઈ હતી, જેમાં ચાર લોકો માર્યા ગયાહતા. જે બાદ ભાજપના ત્રણ કાર્યકરોની હત્યા કરવામાં આવી હતી, જેનો આરોપ પ્રદર્શનકારીઓ પર છે. આ હિંસામાં એક સ્થાનિક પત્રકારનું પણ મોત થયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X