કઈ ઉંમરના લોકોમાં કોરોનાનુ વધુ સંક્રમણ, આરોગ્ય મંત્રાલયે આપ્યા આંકડા
ભારતમાં ઝડપથી ફેલાઈ રહેલ કોરોના વાયરસની લેટેસ્ટ સ્થિતિની માહિતી આપવા માટે આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે એક વાર ફરીથી મીડિયા સામે આવ્યા.
ભારતમાં ઝડપથી ફેલાઈ રહેલ કોરોના વાયરસની લેટેસ્ટ સ્થિતિની માહિતી આપવા માટે આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે એક વાર ફરીથી મીડિયા સામે આવ્યા. ડેઈલી બ્રીફિંગમાં તેમણે જણાવ્યુ કે અત્યાર સુધી ભારતમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના 2,902 કેસ સામે આવ્યા છે. દેશમાં અત્યાર સુધી મહામારીથી મૃતકોની સંખ્યા 68 સુધી પહોંચી છે. લવ અગ્રવાલે આરોગ્ય મંત્રાલયના આંકડાથી એ પણ જણાવ્યુ કે દેશમાં કુલ દર્દીઓમાંથી કઈ ઉંમરના લોકોમાં કોરોના વાયરસનુ સંક્રમણ વધુ છે.

શનિવારે મીડિયાને સંબોધિત કરીને લવ અગ્રવાલે જણાવ્યુ કે 9 ટકા રોગી 0-20 વર્ષની ઉંમરના છે અને 42 ટકા રોગી 21-40 વર્ષની ઉંમરના છે. કોરોના વાયરસથી સંક્રમિત લોકોમાં 33 ટકા કેસ 41-60 વર્ષની ઉંમરના રોગીઓના છે અને 17 ટકા રોગી 60 વર્ષની ઉંમર પાર કરી ચૂક્યા છે. વળી, કાલથી અત્યાર સુધી 601 પૉઝિટીવ કેસ સામે આવ્યા છે. શુક્રવારે 12 લોકોના મોત પણ થયા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે, મહામારી સામે લડવા માટે સંપૂર્ણ દેશમાં 21 દિવસનુ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યુ છે.
તબલીગીગ જમાતના સંક્રમિત લોકો વિશે માહિતી આપતા લવ અગ્રવાલે કહ્યુ, અત્યાર સુધી અમને 17 રાજ્યોના તબલીગી જમાત સાથે સંબંધિત કેસમળી આવ્યા છે. દેશભરમાં અત્યાર સુધી 1023 કોરોના વાયરસના પૉઝિટીવ કેસ નિઝામુદ્દીન મરકજમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં શામેલ લોકોમાં સામે આવ્યા છે. દેશમાં કુલ કેસોમાંથી લગભગ 30 ટકા નિઝામુદ્દીન મરકજના તબલીગી જમાત સાથે જોડાયેલ છે. ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવ જણાવે છે કે લગભગ 22,000 તબલીગી જમાતના કાર્યકર્તાઓ અને તેમના સંપર્કોને મોટાપાયે પ્રયત્નકરીને ક્વૉરંટાઈનમાં રાખવામાં આવ્યા છે.
Till now there are 2,902 #COVID19 positive cases in India. 601 positive cases have been reported since yesterday, 12 deaths also reported yesterday taking total deaths to 68. 183 people have recovered/discharged: Lav Aggarwal, Joint Secretary, Health Ministry pic.twitter.com/v1jxcj3hrz
— ANI (@ANI) April 4, 2020
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
