For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્ભયા કેસઃ સુપ્રીમ કોર્ટે ધ્યાનમાં લીધેલ મહત્વપૂર્ણ વિગતો

કોર્ટે કહ્યું કે, પીડિતા સાથે કોઇ ચીજવસ્તુની માફક વ્યવહાર કરવામાં આવ્યો હતો, પોતાના સુખ માટે પીડિતાને શિકાર બનાવી રસ્તા પર ફેંકી દેવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

16 ડિસેમ્બર, 2012ની રાત્રે નિર્ભયા સાથે જે થયું તે ખૂબ ડરામણું અને અમાનવીય કૃત્ય હતું, આ ઘટનાને પગલે સમગ્ર દેશમાં જાણે ક્રોધનું મોજું ફરી વળ્યું હતું. દેશના દરેક ખૂણેથી નિર્ભયાને ન્યાય આપવાના પોકાર ઉઠી રહ્યાં હતા. આખરે આરોપી ઓ પકડાયા, તેમને ફાંસીની સજા આપવામાં આવી અને હવે આજે 5 મે, 2017ના રોજ એ સજા પર સુપ્રીમ કોર્ટે પણ થપ્પો મારી દીધો છે.

સુપ્રીમ કોર્ટે આ નિર્ણય પહેલાં કઇ વિગતોની છણવાટ કરી તથા કેસ અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા શું ટિપ્પણી કરવામાં આવી હતી, એ વિગતવાર વાંચો અહીં..

અત્યંત ક્રૂર ઘટના

અત્યંત ક્રૂર ઘટના

  • સુપ્રીમ કોર્ટે કહ્યું કે, શિયાળાની એ ઠંડી રાતે નિર્ભયા સાથે જે કંઇ થયું તે અત્યંત ક્રૂર હતું, આ ઘટનાએ તેની આખી દુનિયા ઉપરતળે કરી નાંખી.
  • ગુનેગારોએ પીડિતાને અને તેના મિત્રને મરવા માટે છોડી દીધા હતા. ગુનેગારોએ પહેલા તેમની પાસેની મૂલ્યવાન ચીજો લૂંટી લીધી અને ત્યાર બાદ અંદર-અંદર વહેંચી લીધી હતી.
  • પીડિતા સાથે એક ચીજવસ્તુની માફક વ્યવહાર કરવામાં આવ્યો હતો. પોતાના ક્રૂર આનંદ માટે તેમણે પીડિતાને શિકાર બનાવી. પીડિતાના આત્મ-સન્માનનું હરણ કર્યું અને આ માટે ખૂબ ક્રૂર અને પાશવી રીત અપનાવી.
ક્રૂરતાની પરાકાષ્ઠા

ક્રૂરતાની પરાકાષ્ઠા

  • સુપ્રીમ કોર્ટે આ અપરાધને સામાજિક વિશ્વાસનો વિનાશ કરતો અપરાધ ગણાવ્યો.
  • સુપ્રીમ કોર્ટ અનુસાર આ રેયરેસ્ટ ઓફ રેર કેસ હતો. ત્સુનામી ઓફ શોક! કોર્ટ અનુસાર આ ક્રૂરતાની પરાકાષ્ઠા હતી.
  • પીડિતાના કપડા ફાડી તેના ગુપ્તાંગોમાં લોખંડની સળિયો નાંખવામાં આવ્યો, આ અમાનવીય અને રાક્ષસી કૃત્ય હતું. આ કારણે આ રેયરેસ્ટ ઓફ રેસ કેસ બન્યો છે.
 દિલ્હી પોલીસની ઝીણવટભરી તપાસ

દિલ્હી પોલીસની ઝીણવટભરી તપાસ

  • સુપ્રીમ કોર્ટ અનુસાર, આ કેસની દિલ્હી પોલીસે ઝીણવટપૂર્વક તપાસ કરી છે.
  • કોર્ટે કહ્યું કે, જો આ મામલે મૃત્યુદંડ યોગ્ય સજા નથી, તો બીજા કયા અને કેવા મામલે મૃત્યુદંડની સજા યોગ્ય ઠેરવી શકાય, એ સમજની બહાર છે.
  • ગુનેગારોની એકમાત્ર ઇચ્છા હતી, પીડિતાનો નાશ કરવો. તેમણે એ જ કર્યું અને ત્યાર બાદ પીડિતાને બસની બહાર ફેંકી દેવામાં આવી. આવું કરીને તેમણે પીડિતાની ઓળખ અને ગૌરવ સાથે ક્રૂર રમત રમી છે.
ફાંસીની સજા યથાવત રાખવાના કારણો

ફાંસીની સજા યથાવત રાખવાના કારણો

  • આ આખા મામલે પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવાઓ ગુનેગારોનો સાચો ચહેરો સમાજ સમક્ષ લાવવા માટે પુરતા છે.
  • સીસીટીવીમાંથી મળેલ પુરાવા ન માનવાનો કોઇ સવાલ જ નથી, એ રાત્રે ગુનેગારોનો શું હેતુ હતો એ સ્પષ્ટ છે. તમામ ગુનેગારો બસમાં હાજર હતા એ વાત પણ સ્પષ્ટ છે.
  • બચાવ પક્ષ તરફથી અપીલ કરવામાં આવી હતી કે, પોલીસ કસ્ટડીમાં ગુનેગારોને યાતના આપવામાં આવી છે, એ વાત નકારી શકાય એમ નથી.
  • પરંતુ આ મામલે ગુનેગારોના ડીએનએ, આંગળીના નિશાન મળ્યાં છે એ પરથી તેમના અપરાધ સાબિત થાય છે.
  • આ ટિપ્પણીઓ સાથે ચારેય ગુનેગારોની ફાંસીની સજા સુપ્રીમ કોર્ટે યથાવત રાખી છે.

{promotion-urls}

English summary
Little did Nirbhaya know that on that cold winter night her world would come to a devastating end, the Supreme Court observed while confirming the death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X