વારાણસીમાં પીએમ મોદી સામે કોંગ્રેસે આ નેતાને ઉતાર્યો
કોંગ્રેસ વારાણસીમાં પીએમ મોદીને જોરદાર ટક્કર આપવાની યોજના પર ઘણા સમયથી કામ કરી રહી હતી
કોંગ્રેસ વારાણસીમાં પીએમ મોદીને જોરદાર ટક્કર આપવાની યોજના પર ઘણા સમયથી કામ કરી રહી હતી. હવે કોંગ્રેસે લોકસભા ચૂંટણીમાં વારાણસી સીટથી પીએમ મોદી સામે ટક્કર લેવા જઈ રહેલા ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે. વારાણસીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસે અજય રાયને ટિકિટ આપી છે, જયારે ગોરખપુર સીટથી કોંગ્રેસે મધુસુદન તિવારીને મેદાનમાં ઉતાર્યા છે.
આપને જણાવી દઈએ કે વર્ષ 2014 લોકસભા ચૂંટણીમાં અજય રાયના નામ પર કોંગ્રેસે લાંબા સમય સુધી સસ્પેન્સ બનાવી રાખ્યું હતું અને અંતિમ સમયમાં તેમને ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા હતા. આ વખતે પણ પ્રિયંકા ગાંધીના ઉતારવાની ખબરો વચ્ચે કોંગ્રેસે અજય રાય પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગઈ વખતે તેઓ લોકસભા ચૂંટણીમાં ત્રીજા મજબૂત ઉમેદવાર સાબિત થયા હતા. તેમને અરવિંદ કેજરીવાલ પછી ત્રીજું સ્થાન મેળવ્યું હતું.
Ajay Rai to be the Congress candidate from Varanasi #LokSabhaElections2019 pic.twitter.com/SfF0bOtyRH
— ANI (@ANI) April 25, 2019