મધ્યપ્રદેશમાં 28 નવેમ્બરે મતદાન, જાણો ચૂંટણી અંગેની સંપૂર્ણ માહિતી
ચૂંટણી આયોગે શનિવારે 5 રાજ્યોમાં ચૂંટણીની તારીખોનું એલાન કરી દીધુ છે. મુખ્ય ચૂંટણી આયોગે ઓ પી રાવતે જણાવ્યુ કે મધ્યપ્રદેશ અને મિઝોરમમાં 28 નવેમ્બરે મતદાન યોજાશે.
ચૂંટણી આયોગે શનિવારે 5 રાજ્યોમાં ચૂંટણીની તારીખોનું એલાન કરી દીધુ છે. મુખ્ય ચૂંટણી આયોગે ઓ પી રાવતે જણાવ્યુ કે મધ્યપ્રદેશ અને મિઝોરમમાં 28 નવેમ્બરે મતદાન યોજાશે. આ બંને રાજ્યોમાં એક જ તબક્કામાં ચૂંટણી સંપન્ન થશે જ્યારે મતની ગણતરી 11 ડિસેમ્બરે થશે એટલે કે આ દિવસે રાજ્યમાં નવી સરકારની રચનાની તસવીર સ્પષ્ટ થઈ જશે. ચૂંટણી આયોગ દ્વારા મતદાનની તારીખોના એલાન સાથે આ રાજ્યોમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
મધ્યપ્રદેશમાં ચૂંટણીનો કાર્યક્રમ
નોટિફિકેશનઃ
2
નવેમ્બર
નામાંકનની
છેલ્લી
તારીખઃ
9
નવેમ્બર
નામાંકનની
સ્ક્રૂટીનીઃ
12
નવેમ્બર
નામાંકન
પાછુ
લેવાની
છેલ્લી
તારીખઃ
14
નવેમ્બર
મતદાનઃ
28
નવેમ્બર
મત
ગણતરીઃ
11
ડિસેમ્બર
આ પણ વાંચોઃ Live: એમપી, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ, તેલંગાનામાં ચૂંટણી તારીખોનું એલાન
મધ્યપ્રદેશમાં કોની કેટલી સીટોઃ
મધ્યપ્રદેશની કુલ સીટો પર ચૂંટણીની ઘોષણા કરી દેવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓ પી રાવતે કહ્યુ છે કે બધા ઉમેદવારોની એફિડેવિટના નિયમોમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ ફેરફાર કરવામાં આવ્યા છે. અત્યારે મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે જેના 165 ધારાસભ્ય છે. જ્યારે કોંગ્રેસના 58 ધારાસભ્ય છે. રાજ્યમાં બસપાની 4 સીટો છે જ્યારે 3 સીટો અન્યના ખાતામાં છે. મધ્યપ્રદેશમાં સામાન્યની 148 સીટો છે જ્યારે એસસીની 35 અને એસટીની 47 સીટો છે.
ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો
મધ્યપ્રદેશમાં સત્તાધારી ભાજપ એક વાર ફરીથી જીત નોંધાવવાની કોશિશમાં છે. તો કોંગ્રેસ સત્તામાં પાછા આવવા માટે પૂરો દમ લગાવી રહી છે. વર્ષ 2013 માં બે તૃતીયાંશ સીટો પર જીત મેળવનાર ભાજપ મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં એક વાર ફરીથી સત્તા પર કબ્જો જમાવવા ઈચ્છે છે જ્યારે કોંગ્રેસ દિગ્વિજય સિંહ, કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાની ત્રિપુટીના ભરોસે ભાજપને સત્તાથી દૂર લઈ જવા દિવસ-રાત એક કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ જાણો રાજસ્થાનમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીનું આખુ શિડ્યુલ