For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિગર ખરાબ થવાની બીકે શહેરની માતાઓ સ્તનપાન નથી કરાવતી

મધ્યપ્રદેશની રાજ્યપાલ અને ગુજરાતની પૂર્વ મુખ્યમંત્રી આંનદીબેન પટેલ ફરી એકવાર વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશની રાજ્યપાલ અને ગુજરાતની પૂર્વ મુખ્યમંત્રી આંનદીબેન પટેલ ફરી એકવાર વિવાદિત નિવેદનને કારણે ચર્ચામાં છે. કાશીપુરના એક કાર્યક્રમમાં આનંદીબેન ઘ્વારા જણાવવામાં આવ્યું કે આજકાલ શહેરની માતાઓ પોતાના ફિગરને કારણે બાળકોને સ્તનપાન નથી કરાવતી. તેમને લાગે છે કે બાળકને સ્તનપાન કરાવવાથી તેમનું ફિગર ખરાબ થઇ જશે. તેને કારણે શહેરની માતાઓ બાળકોને બોટલનું દૂધ પીવડાવવા લાગે છે.

anandiben patel

ગુજરાતની પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશની રાજ્યપાલ આંનદીબેન પટેલનું કહેવું છે કે શહેરની માતાઓ પોતાના ફિગરને કારણે બાળકોને દૂધ નથી પીવડાવતી. કાશીપુરના એક કાર્યક્રમમાં આનંદીબેન ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને લાગે છે કે તેમનું ફિગર ખરાબ થઇ જશે. તેના કારણે તેઓ બાળકને સ્તનપાન કરાવવાને બદલે બોટલનું દૂધ પીવડાવે છે.

બોટલનું દૂધ બાળકો માટે અયોગ્ય ગણાવીને આંનદીબેન પટેલે જણાવ્યું કે જેવી રીતે બોટલ ફૂટે છે તેવી જ રીતે બાળકોનું નસીબ પણ ફૂટી જશે. આનંદીબેન પટેલે જણાવ્યું કે માતાઓ બાળકોને બોટલનું દૂધ પીવડાવવાને બદલે સ્તનપાન કરાવે. તેની સાથે તેમને માતાઓને પણ જણાવ્યું કે તેઓ સરકારી યોજનાનો લાભ લે. તેઓ આંગણવાડીમાં પોતાને રજીસ્ટર કરાવે અને પ્રસુતિ સહાયમાં મળતા પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ કરે.

તેમને કહ્યું કે આ પૈસાથી માતાઓ ગર્ભવસ્થામાં પોતાનું ધ્યાન રાખે અને ફળ ખાય, જેને કારણે જન્મ લેનાર બાળક તંદુરસ્ત પેદા થાય.

English summary
Madhya Pradesh Governor Anandiben Patel Says Urban Mothers Don't Breastfeed Baby Because Of Figure
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X