For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘માયાવતીનું સમ્માન મારુ સમ્માન અને તેમનુ અપમાન મારુ અપમાન': અખિલેશ

લોકસભા ચૂંટણી 2019 માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધનનું અધિકૃત એલાન થઈ ગયુ.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2019 માટે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધનનું અધિકૃત એલાન થઈ ગયુ. અખિલેશ યાદવ અને માયાવતીએ લખનઉમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આનુ અધિકૃત એલાન કર્યુ. પ્રેસ કોન્ફરન્સની શરૂઆત બસપા સુપ્રીમો માયાવતીએ ભાજપ પર હુમલાથી કરી અને કહ્યુ કે સપા-બસપાનું ગઠબંધન નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઉંઘ ઉડાવવાનું છે. માયાવતીએ એલાન કર્યુ કે 38-38 સીટો પર સપા અને બસપા ચૂંટણી લડશે. અખિલેશ યાદવે ગઠબંધન માટે માયાવતીનો આભાર માન્યો અને ત્યારબાદ તેમણે ભાજપ પર હુમલો કર્યો. અખિલેશે કહ્યુ કે ધર્મની આડમાં દેશનો વિનાશ કરી રહેલી ભાજપ સાંભળી લો, અમે તેમનો સફાયો કરવા માટે ગઠબંધન કર્યુ છે.

અખિલેશ યાદવે કહ્યુ - ભાજપના શાસનનો અંત નિશ્ચિત

અખિલેશ યાદવે કહ્યુ - ભાજપના શાસનનો અંત નિશ્ચિત

અખિલેશ યાદવે કહ્યુ કે ભાજપે સમાજના લોકોમાં ભાગલા પાડવાનું કામ કર્યુ છે. તેમણે કહ્યુ કે હોસ્પિટલમાં દર્દીઓનો ઈલાજ કરતા પહેલા જાતિ પૂછવામાં આવી રહી છે. અખિલેશ યાદવે કહ્યુ કે સમાજમાં નફરત અને ઉન્માદનું વાતાવરણ ફેલાવવામાં આવી રહ્યુ છે. સમગ્ર દેશમાં અરાજકતાનો માહોલ છે અને કાયદો વ્યવસ્થા કથળી રહી છે. અખિલેશે કહ્યુ કે સમાજનો દરેક વર્ગ ભાજપના શાસનથી પરેશાન અને ત્રસ્ત છે.

‘ભાજપના નેતાઓએ સત્તાના નશામાં ચૂર થઈને માયાવતી પર વાંધાજનક ટિપ્પણીઓ કરી'

‘ભાજપના નેતાઓએ સત્તાના નશામાં ચૂર થઈને માયાવતી પર વાંધાજનક ટિપ્પણીઓ કરી'

અખિલેશ યાદવે કહ્યુ કે ભાજપ સરકારની કોશિશ મોટા ઉદ્યોગપતિઓને લાભ પહોંચાડવાની છે. અખિલેશ યાદવે કહ્યુ કે આ બસપા સાથે ગઠબંધન નથી પરંતુ ભાજપના શાસનના અંતની શરૂઆત છે. અખિલેશે કહ્યુ કે ભાજપના નેતાઓએ સત્તાના નશામાં ચૂર થઈને માયાવતી પર વાંધાજનક ટિપ્પણીઓ કરી. રાજ્યસભા ચૂંટણીઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યુ કે ભાજપે છળ કપટથી અમારા ઉમેદવારોને હરાવવાનું કામ કર્યુ.

માયાવતીનું સમ્માન મારુ સમ્માન છે - અખિલેશ

માયાવતીનું સમ્માન મારુ સમ્માન છે - અખિલેશ

અખિલેશ યાદવે કહ્યુ, ‘માયાવતીનું સમ્માન મારુ સમ્માન છે અને જો કોઈ તેમનુ અપમાન કરશે તો તે મારુ પણ અપમાન હશે.' ભાજપ પર હુમલો કરતા અખિલેશ યાદવે કહ્યુ કે ભાજપ હુલ્લડો અને હિંસાનો સહારો લઈ શકે છે. કોઈ પણ હદ સુધી તે જઈ શકે છે. સમય સાથે બસપા અને સપા સંબંધ વધુ ગાઢ થશે. તેમણે કહ્યુ કે ગઠબંધન સાથે જ ભાજપના શાસનનો અંત નિશ્ચિત છે. એ પહેલા આજે માયાવતીએ કહ્યુ કે સપા-બસપાનું ગઠબંધન આગામી વિધાનસભા ચૂંટણીઓમાં પણ ચાલુ રહેશે.

આ પણ વાંચોઃ Video Viral: અનુષ્કા શર્માના પ્રાઈવેટ પાર્ટ પર રણવીર સિંહની ગંદી વાતઆ પણ વાંચોઃ Video Viral: અનુષ્કા શર્માના પ્રાઈવેટ પાર્ટ પર રણવીર સિંહની ગંદી વાત

English summary
Mahagathbandhan: Akhilesh yadav during joint press conference with mayawati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X