ઘરમાં ઘૂસીને ભાજપ નેતાની હત્યા, અજાણ્યા હુમલાખોરોએ 5 લોકોને મોતને ઘાટ ઉતાર્યા
મહારાષ્ટ્રમાં ભાજપ નેતાની ઘરમાં ઘૂસીને હત્યા કરી દેવામાં આવી છે. અજ્ઞાત બદમાશોએ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રવિન્દ્ર ખરાતના ઘરમાં ઘૂસીને તેમની હત્યા કરી દીધી.
મહારાષ્ટ્રમાં ભાજપ નેતાની ઘરમાં ઘૂસીને હત્યા કરી દેવામાં આવી છે. અજાણ્યા શખ્શોએ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રવિન્દ્ર ખરાતના ઘરમાં ઘૂસીને તેમની હત્યા કરી દીધી. અજ્ઞાત હુમલાખોરો અને તેમના પરિવારના ઘણા સભ્યો પર હુમલો કરી દીધો. હુમલાખોરોએ ભાજપ નેતાના ઘરમાં ઘૂસીને તેમની હત્યા કરી દીધી. આ હુમલામાં રવિન્દ્ર ખરાત સહિત પાંચ લોકોના મોત નીપજ્યા છે. સૂચના બાદ સ્થળ પર પહોંચેલી પોલિસે તપાસ શરૂ કરી દીધી છે. એએનઆઈ મુજબ પોલિસે ત્રણ શખ્શોની ધરપકડ કરી દીધી છે.

મીડિયા રિપોર્ટ મુજબ જલગાંવના ભૂસાવલમાં અજાણ્યા શખ્સોએ ભાજપ નેતા રવિન્દ્ર ખરાતના ઘરમાં ઘૂસીને તેમના અને તેમના પરિવાર પર જાનલેવા હુમલો કર્યો. હુમલાખોરોએ ભાજપ નેતા રવિન્દ્ર ખરાત, તેમના પુત્રો અને દોસ્તો પર ચાકૂથી હુમલો કર્યો અને પછી ગોળી મારી હત્યા કરી દીધી. હુમલાખોરોએ નેતા રવિન્દ્ર ખરાતને ઘરના આંગણામાં આવીને અંધાધૂંધ ગોળીબાર કર્યો અને જે પણ સામે દેખાયુ તેની હત્યા કરી દીધી.
Maharahstra:BJP leader Ravindra Kharat,3 members of his family&his son's friend, died after being attacked by unidentified miscreants in Bhusawal, Jalgaon. Police say,'Miscreants fired at deceased people&attacked them with knives outside their house,3 arrested, probe on.' (06.10) pic.twitter.com/ZjAmL6V5h6
— ANI (@ANI) 6 October 2019
આ હુમલામાં રવિન્દ્ર બાબુરાવ ખરાતનુ મોત નીપજ્યુ છે. તેમના ભાઈ સુનીલ ખરાત, પુત્ર પ્રેમસાગર રવિન્દ્ર ખરાત, નાનો પુત્ર રોહિત ખરાત અને પુત્રના દોસ્ત સુમિત ગજરેના મોત નીપજ્યા છે. વળી, રવિન્દ્ર ખરાતની પત્ની રજની ખરાત અને તેમનો ત્રીજો પુત્ર હિતેશ અને અન્ય એક સંબંધી ખરાબ રીતે ઘાયલ થઈ ગયા છે જેમની સ્થિતિ ખૂબ જ નાજુક જણાવવામાં આવી રહી છે. પોલિસના જણાવ્યા મુજબ હુમલાખોર મોટરસાઈકલ પર સવાર થઈને રવિન્દ્ર ખરાતના ઘરમાં દાખલ થયા. મામલો અંગત અદાવતનો લાગી રહ્યો છે. ભુસાવલ પોલિસે આ કેસમાં અત્યાર સુધી ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલિસ હુમલાખોરોની પૂછપરછ કરી રહી છે. વળી, અત્યાર સુધી પોલિસ તેને પરસ્પર અદાવતનો કેસ માનીને ચાલી રહી છે.
-
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આસામના મતદારોને ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
'મારા પતિએ 9 મહિલાઓ સાથે સંબંધ રાખ્યા', જાણીતી અભિનેત્રીનું દર્દ છલકાયું; 14 વર્ષ સાથે રહ્યા પછી જે થયું તે ચો -
US-Iran War: ડેડલાઈન પહેલા ઈરાન ધણધણી ઉઠ્યું; અમેરિકી હુમલામાં ખાર્ગ આઈલેન્ડ અને રેલવે બ્રિજ સહિત અનેક -
IPL 2026: આઈપીએલનો હિસ્સો રહી ચૂકેલા આ 3 દિગ્ગજ ખેલાડીઓ હવે દુનિયામાં નથી, જાણો કોણ છે આ નામ -
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે?











Click it and Unblock the Notifications
