જયરામ રમેશના પત્રથી નારાજ થયા મમતા બેનર્જી

કેન્દ્રીય ગ્રામિણ વિકાસ મંત્રી જયરામ રમેશે પોતાના પત્રમાં મમતા બેનર્જીને વર્ષ 2012-13 માટે મનરેગા ભંડોળ ચોથા હપતાના રૂપે 601.2 કરોડ રૂપિયાની રાશિને જાહેર કરવાની સૂચના આપી હતી. તેમને એ પણ ટાંક્યું હતું કે અત્યાર સુધીમાં પશ્વિમ બંગાળને 2655.2 કરોડ રૂપિયા મળી ચૂક્યાં છે.
પત્રમાં એક ફકરાની તરફ ધ્યાન આકર્ષિત કરતાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે નિવેદન સ્પષ્ટ રીતે દંડાત્મક, અનૈતિક અને અસંવૈધાનિક છે. ફકરામાં દિલ્હીમાં માનસિક રીતે મૃત સરકારનો ઉલ્લેખ છે. તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જીએ ફેસબુક પર લખ્યું છે કે ''ખરેખર હું આશ્વર્યચકિત છું કે કોઇ કેન્દ્રીય કક્ષાનો મંત્રી આટલી ખરાબ હદે રાજ્ય સરકારને પત્ર લખી શકે છે. આ ખોટુ ઉદાહરણ રજૂ થાય છે કે આપણા દેશના સ્વસ્થ લોકતંત્રના નામે કલંક છે.
તેમને કહ્યું હતું કે હું કેન્દ્રીય ગ્રામીણ મંત્રી જયરામ રમેશના 19 ઑક્ટોબર 2012ના પત્રને રજૂ કરું છું. આ વિશુદ્ધ સરકારી ગતિવિધિઓ છે. યૂપીએના પૂર્વસહયોગી કહ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જનહિતમાં સંવિધાનના અનુસાર પોતાની ભૂમિકાઓનું નિવર્હન કરે છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
