મનમોહનના મતે રાહુલ ઉત્તમ PM કેંડિડેટ, રામદેવના મતે પપ્પુને અધિકાર નથી

પ્રધાનમંત્રી મનમોહન સિંહે હવે પછી પ્રધાનમંત્રી નહીં બનવાના સ્પષ્ટ સંકેત આપી દીધા છે. તેમણે જણાવ્યું કે તેઓ ત્રીજીવાર પ્રધાનમંત્રી બનવાના મૂડમાં નથી. તેમણે શનિવારે રશિયાથી પરત ફરતી વખતે પત્રકારોને જણાવ્યું કે ચૂંટણી બાદ રાહુલ ગાંધી પ્રધાનમંત્રી પદ માટે આદર્શ ઉમેદવાર રહેશે. મનમોહન સિંહે જણાવ્યું કે રાહુલમાં પ્રધાનમંત્રી બનવાની તમામ યોગ્યતા છે. જોકે પ્રધાનમંત્રી પોતાની નિવૃત્તિ અંગેની કોઇ જાહેરાત કરી નહીં. તેમણે જણાવ્યું 'હું રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ માટે કામ કરતો રહીશ. મને રાહુલના નેતૃત્વને સ્વીકારવામાં કોઇ વાંધો નથી.'
જ્યારે બીજી તરફ કોંગ્રેસની કેન્દ્ર સરકાર અને રાહુલ ગાંધી પર હંમેશા પ્રહારો કરતા આવેલા યોગ ગુરુ બાબા રામદેવે જણાવ્યું કે રાહુલ ગાંધીને દેશ પર રાજ કરવાનો કોઇ અધિકાર નથી. તેઓ આજે દિલ્હીના જંતર મંતર પર કેન્દ્ર સરકારની વિરોધમાં વ્યવસ્થા પરિવર્તન રેલી કરશે. રામદેવ સરકારની આર્થિક નીતિયો વિરૂદ્ધ અને કાળા નાણાને દેશમાં પાછું લાવવાની માંગને લઇને આ પ્રદર્શન કરશે.
મીડિયા સાથે વાતચીત દરમિયાન રામદેવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાનો સાધતા જણાવ્યું કે ભોંદૂ-પપ્પુને દેશ પર રાજ કરવાનો અધિકાર નથી. રામદેવે મોદીનું સમર્થન કરતા જણાવ્યું કે આજે દેશને એક મહાનાયકની જરૂરીયાત છે. અને હાલના સમયમાં માત્ર મોદીમાં જ એ ક્ષમતા દેખાય છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
