હરિયાણાઃ મનોહરલાલ ખટ્ટરે CM, દુષ્યંત ચૌટાલાએ ડેપ્યુટી CM પદના શપથ લીધા
મનોહરલાલ ખટ્ટર હરિયાણાના સીએમ અને દુષ્યંત ચૌટાલા નવા ડેપ્યુટી સીએમ બની ગયા છે.
મનોહરલાલ ખટ્ટર હરિયાણાના સીએમ અને દુષ્યંત ચૌટાલા નવા ડેપ્યુટી સીએમ બની ગયા છે. બંનેએ રવિવારે બપોરે પદ અને ગોપનીયતાના શપથ લીધા. ચંદીગઢમાં રાજભવનમાં આયોજિત શપથગ્રહણ સમારંભમાં બંને નેતાઓને રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યએ શપથ લેવડાવ્યા. આ દરમિયાન ભાજપ અને એનડીએના ઘણા મોટા નેતા હાજર રહ્યા.

ભાજપને સીએમ અને જેજેપી ડેપ્યુટી સીએમનુ પદ
હરિયાણામાં 21 ઓક્ટોબરે ચૂંટણી થઈ હતી. રાજ્યની 90 સીટોમાંથી બહુમત માટે જરૂરી 46 નો આંકડો કોઈ પાર્ટી પાર ના કરી શક્યા બાદ 40 સીટો જીતનારી ભાજપે 10 સીટો પર વિજયી રહેલી જેજેપી સાથે મળીને સરકાર બનાવી છે. ભાજપને સીએમ અને જેજેપી ડેપ્યુટી સીએમનુ પદ મળ્યુ છે. રવિવારે સીએમ અને ડેપ્યુટી સીએમ પદના શપથગ્રહણ કર્યા છે.
|
સરકાર બનાવવાનો દાવો
મનોહરલાલ ખટ્ટરને શનિવારે ભાજપ ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય સાથએ મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. ત્યારબાદ તેમને રાજ્યપાલ પાસેથી આજે બપોરનો સમય મળ્યો હતો. ત્યારબાદ રવિવારે અઢી વાગે શપથગ્રહણ સમારંભ થયો.
|
90 સીટોમાંથી ભાજપને 40
મનોહરલાલ સતત બીજી વાર હરિયાણાના સીએમ બન્યા છે. 2014માં તેમને ભાજપને પૂર્ણ બહુમત મળ્યા બાદ સીએમ બનાવવામાં આવ્યા હતા. 2014માં ભાજપે 47 સીટો જીતી હતા. વળી, ડેપ્યુટી સીએમ બનેલા દુયંત ચૌટાલા પહેલી વાર ધારાસભ્ય ચૂંટાયા છે. આ પહેલા તે 2014સાંસદ રહી ચૂક્યા છે. હરિયાણાની 90 સીટોમાંથી ભાજપને 40 અને જેજેપીને 10 સીટો મળી છે. રાજ્યમાં કોંગ્રેસને 31 સીટો પર જીત મળી છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
