સીમા પર સતત પાકિસ્તાન કરી રહ્યું છે ફાયરિંગ, 11 લોકો ઇજાગ્રસ્ત
પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહ્યું છે ફાયરિંગ, એલઓસી પર દિવાળી પહેેલા તંગ પરિસ્થિતિ.
જમ્મુ કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંધન કરવામાં આવી રહ્યું છે. પાછલા 24 કલાકથી અહીં સતત ગોળીબારી થઇ રહી છે. જો કે પાકિસ્તાનની આ નાપાક વાતનો ભારતીય સેના પણ બરાબરનો જવાબ આપી રહી છે.
જો કે આ ગોળીબારીમાં બીએસએફના આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર સમતે 10 અન્ય નાગરિકોના ઇજાગ્રસ્ત થવાની ખબર પણ આવી છે. તથા અનેક લોકોના ઘરોને ભારે નુક્શાન થયું છે. ઇજાગ્રસ્તોમાં એક જ પરિવારના 6 લોકો પણ સામેલ છે.
વધુમાં પાકિસ્તાન તરફથી ભારતીય ચોકીઓ પર મોર્ટાર સેલ દાગવામાં આવી રહ્યા છે. લોકોમાં પણ આ જ કારણે ડરનો માહોલ ફેલાઇ ગયો છે. વળી સામાન્ય લોકો પાસે ખાવા પીવાના સામાનની પણ અછત ઊભી થઇ છે.
We dont have enough food & supplies and are really afraid to leave our native place: Locals in RS Pura(J&K) after ceasefire violation by Pak pic.twitter.com/oscz5PuXXi
— ANI (@ANI_news) October 25, 2016
પીટીઆઇની ખબર મુજબ ભારતીય સેનાએ જે જવાબી કાર્યવાહી કરી છે તેનાથી પાકિસ્તાનના ત્રણ સૈનિકોની મોતની ખબર આવી છે. બીએસએફના સુત્રો મુજબ ભારતીય ફાયરિંગમાં પાકિસ્તાનની ઓછામાં ઓછી પાંચથી છ પોસ્ટને મોટું નુક્શાન થયું છે.
સંધર્ષ
વિરામનું
ઉલ્લંધન
નોંધનીય
છે
કે
પાછલા
લાંબા
સમયથી
પાકિસ્તાન
સંધર્ષ
વિરામનું
ઉલ્લંધન
કરી
રહ્યો
છે.
અને
વચ્ચે
વચ્ચે
રોકાઇને
તે
વારંવાર
ગોળીબારી
કરી
રહ્યો
છે.
પાકિસ્તાને
આ
પહેલા
ગત
રવિવારે
પણ
સીઝફાયરિંગ
કર્યું
હતું.
નોંધનીય છે કે ઉરી આતંકી હુમલા પછી ભારતે જે પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. તે પછી બન્ને દેશોના સંબંધ વધુ વણસ્યા છે. અને દિવાળીના સમયે પાકિસ્તાન તેની આ નાપાક હરકત કરી દબાવ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે તેના કારણે આ વિસ્તારમાં રહેતા સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધી ગઇ છે.