હિમાચલ: ઊંડી ખાઈમાં પડી યાત્રીઓ ભરેલી બસ, 7 લોકોના મૌત
હિમાચલ પ્રદેશના જીલ્લા શિરમોર માં એક દર્દનાક રોડ એક્સીડંટ માં સાત લોકોના મોત થયા હતા.
હિમાચલ પ્રદેશના જીલ્લા શિરમોર માં એક દર્દનાક રોડ એક્સીડંટ માં સાત લોકોના મોત થયા હતા. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વધવાના સંકેત પણ મળી રહ્યા છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.
મળતી જાણકારી અનુસાર રવિવારે શિરમોર જિલ્લાના રાજગઢ વિસ્તારમાં એક દર્દનાક રોડ એક્સીડેન્ટમાં એક પ્રાઇવેટ બસ ઊંડી ખાઈમાં પડી, જેમાં બસમાં મુસાફરી કરી રહેલા 7 લોકોની મૌત થઇ ગયી. મરનાર લોકોની સંખ્યા વધવાના સંકેત પણ મળી રહ્યા છે. બસમાં સવાર ઘણા લોકોને ઇજા પહોંચી છે. જયારે હજુ પણ કેટલાક લોકો બસમાં ફસાયા છે.
દુર્ઘટના પાછળનું કારણ હજુ સુધી જાણવામાં આવ્યું નથી. આ ઘટના રાજગઢ થી લગભગ 25 કિલોમીટર દૂર સેનોરા નેરી પુલ પાસે થયી. આ બસ માનવા થી સોલન જઈ રહી હતી. પોલીસ ટુકડી ઘટના સ્થળ માટે રવાના થઇ ચુકી છે. બધા જ ઘાયલોના ઉપચાર માટે તેમને સોલન લઇ જવામાં આવી રહ્યા છે. ઘાયલ થયેલા લોકોની હાલત ખુબ જ ગંભીર છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે.
શિરમોર જિલ્લાધીશ લલિત જૈન ઘ્વારા જણાવવામાં આવ્યું કે દુર્ઘટનામાં 7 લોકોના મૌત અને 12 લોકોના ઘાયલ થવા વિશે પણ પુષ્ટિ કરવામાં આવી છે. તેમને જણાવ્યું કે સોલન હોસ્પિટલમાં દાખલ 12 લોકોમાંથી કેટલાક ની હાલત ખુબ જ ગંભીર છે અને પ્રશાશન તેમની પૂરતી કાળજી રાખી રહ્યું છે. પ્રશાશન ઘ્વારા મૃતક પરિવાર ને 10-10 હજાર અને ઘાયલોને 5 હજાર જેટલી રકમ આપવાનું નક્કી કર્યું છે.