કોર્ટે હાર્દિકની મુશ્કેલીઓ વધારી
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો.
આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...
કોર્ટે હાર્દિકની મુશ્કેલીઓ વધારી
સોમવારે હાર્દિક પટેલની કાયમી જામીનની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે સ્વીકાર્યું કે રાજદ્રોહના કેસના આરોપી હાર્દિક પટેલને જામીન આપતા રાજ્યમાં કાયદો વ્યવસ્થા બગડી શકે છે. જે માટે કરીને કોર્ટે તેની કાયમી અરજીની માંગણીને ફગાવી દીધી છે.
ઇરફાન ખાન રિસેપ્શનમાં ઉમટ્યા ક્રિકેટરો અને બોલીવૂડ
ક્રિકેટર ઇરફાન ખાને 8મી માર્ચે વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે તેના લગ્નનું ભવ્ય રિસેપ્શન આપ્યું હતું. જેમાં બોલીવૂડ અને કિક્રેટની અનેક જાણીતી વ્યક્તિઓ હાજર રહી હતી. રોબિન ઉથપ્પા તેની પત્ની, વિનય કુમાર, વી.વી.એસ લક્ષ્મણ તેનો પરિવાર, કિરણ મોરે અભિનેત્રી યુવીકા ચૌધરી પણ આ લગ્નમાં હાજર રહ્યા હતા.
ભાંગ પીધા બાદ આખુ ગામ ફેરવાયું સારવાર કેન્દ્રમાં
કડીના બુડાસણ ગામમાં શિવરાત્રીમાં ભાંગનો પ્રસાદ લીધા બાદ ગામના એક પછી એક લોકોને ઝાડા ઉલટી થઇ તબિયત લથડતા આરોગ્ય વિભાગ અને તંત્ર ત્યાં દોડતું કરાયું હતું. જો કે તેમાં બે લોકોની મોતની ખબર હાલ આવી છે. આખા ગામમાં ઠેર ઠેર ખાટલાને બિમાર લોકો જોઇને પથંકમાં હાહાકાર મચી ગયો છે.
કન્હૈયા: કાશ્મીરમાં સેનાના જવાનો કરે છે રેપ
દેશદ્રોહના આરોપી તેના જેએનયૂના અધ્યક્ષ કન્હૈયા કુમારે મહિલા દિવસના પોતાના ભાષણમાં ભારતીય સેના પર પોતાનો નિશાનો સાંધતા કહ્યું કે તે સુરક્ષાબળોનું સન્માન કરે છે. પણ કાશ્મીરમાં સુરક્ષાના નામ પર મહિલાઓ સાથે જવાનો બળાત્કાર પણ કરે છે.
શ્રી શ્રીના કાર્યક્રમની ગૂંજ સંસદમાં સંભળાઇ
યમુના નદી પર નથારા શ્રી શ્રી રવિશંકરના વિશ્વ સાંસ્કૃતિ કાર્યક્રમને લઇને વિપક્ષે બુધવારે રાજ્ય સભામાં ભારે હંગામો કર્યો. માકપાના સીતારામ યેચુરી કહ્યું કે રવિશંકરના વ્યક્તિગત કાર્યક્રમમાં સેના અને જવાનોની મદદ કેમ લેવામાં આવે છે. જે પર નાણાં પ્રધાન અરુણ જેટલીએ કહ્યું કે આ મામલે કોર્ટમાં ચાલે છે. તેમણે કટાક્ષમાં કહ્યું કે આની સુનવણી સંસદમાં ચાલી રહી છે કે કોર્ટમાં તે જ નથી સમજાતું.
NGTમાં સુનવણીની વચ્ચે રવિશંકરે કહ્યું કાર્યક્રમ પર રાજનીતિ ના કરો.
આધ્યાતિમક ગુરુ શ્રી શ્રી રવિશંકરે આજે ટ્વિટ કરીને યમુના કિનારે થનારા તેમના કાર્યક્રમ વિશ્વ સંસ્કૃતિક મહોત્સવ પર બોલતા કહ્યું કે તેમના કાર્યક્રમને લઇને કોઇએ રાજનીતિ ના કરવી. તેમનો ઉદ્દેશ આ કાર્યક્રમને લઇને ખાલી દુનિયાને જોડવાનો હતો. નોંધનીય છે કે 13 માર્ચે થનારા આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ હાજર રહેવાની ના પાડી છે.
રાજ્યસભામાં મોદીએ કહ્યું વિપક્ષ મહત્વના બિલો પસાર કરવા સહયોગ આપે
રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ વ્યક્ત કરતા કહ્યું કે વિપક્ષે મહત્વના બિલાને પાસ કરવામાં સહયોગ આપવો જોઇએ. કોંગ્રેસ પર નિશાનો સાંધતા મોદી કહ્યું કે મૃત્યુને તેવું વરદાન છે કે તે કદી બનમાન નથી થતી. તેની પર ક્યારેય આરોપ નથી લાગતો. કોંગ્રેસને પણ આવું જ વરદાન પ્રાપ્ત છે.
સૂર્ય ગ્રહણ સમાપ્ત, મંદિરોના દ્વાર ખોલવામાં આવ્યા
આજે સવારે 6:35થી 6:43 સુધી ભારતમાં દેખાનારા સૂર્યગ્રહણના પૂર્ણ થતા દેશના અનેક મંદિરોને યોગ્ય પૂજા અર્ચના કરી અને સાફ સફાઇ કરીને ફરીથી ખોલવામાં આવ્યા છે. વધુમાં શ્રદ્ઘાળુ પણ મોટી સંખ્યામાં ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે.
અનુપમ ખેર અસલ જીવનમાં પણ ખલનાયક છે: યોગી
અનુપર ખેર દ્વારા યોગી આદિત્યનાથ અને સાધ્વી પ્રાચી જેવા લોકોને જેલમાં નાખવા અને ભાજપાથી બહાર કરવાની ટિપ્પણી બાદ આદિત્યનાથે અનુપમ ખેરની ટિપ્પણી પર પોતાનું મંતવ્ય વ્યક્ત કરતા કહ્યું કે અનુપમ ખેર ફિલ્મોમાં જ નહીં અસલ જીંદગીમાં ખલનાયક છે. તેણે કહ્યું હિંદુત્વના કાર્ય કરતા લોકોને અનુમપ ખેર જેવા લોકોની સલાહની જરૂર નથી.