જાણો કેમ ભારત, પાકિસ્તાનને સિંધુ જલ સંધિ રદ્દ કરવાનું કહી રહ્યું છે?
ભારતને પાકિસ્તાનને ઇશારામાં કહી દીધુ છે કે આતંકવાદ સાથે પાકિસ્તાને પોતાના સંબંધો નહીં બદલ્યા તો સિંધુ જલ સંધિ રદ્દ થઇ શકે છે. આ વાત વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે એક પ્રેસ કોન્ફર્ન્સ કરીને જણાવી હતી. ત્યારે શું છે આ સિંધુ જલ સંધિ અને કેમ ભારત આ વાતનો ઉપયોગ કરીને પાકિસ્તાનને સીધુ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તે અંગે જાણો નીચેના આ આર્ટીકલમાં...

શું છે સિંધુ જલ સંધિ
તમને જણાવી દઇએ કે સિંધુ નદી જલ સંધિ આધુનિક વિશ્વમાં સૌથી ઉદારમને કરવામાં આવેલ પાણીની વહેંચણી છે. જે મુજબ ભારતની 6 નદીઓનું પાણી પાકિસ્તાનને દર વર્ષે 80.52 ટકા આપવામાં આવે છે.
ક્યારે થઇ હતી?

આ સિંધ 1960માં ત્યારના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના તે વખતના રાષ્ટ્રપતિ જનરલ અયૂબ ખાન દ્વારા કરવામાં આવી હતી. અને આ સંધિ બાદ આજ દિનસુધી ભારત પાકિસ્તાનને પાણી આપી રહ્યું છે.
નવાઝ શરીફનું ભાષણ

સ્વરૂપે કહ્યું કે વધુમાં જણાવ્યું કે જે વાતને બોલવા માટે નવાઝ શરીફે યુએનજીએમાં પોતાનો 80 ટકા સમય વ્યતિત કર્યો તે મુદ્દા પર તેમના સિવાય અન્ય કોઇ પણ દેશે કંઇ જ કહ્યું નહીં.
ઉરી હુમલો

તેમણે કહ્યું કે શરીફના ભાષણમાં જે ડોઝિયરની વાત કરી હતી તે વિષે યુએન મહાસચિવે પોતાના નિવેદનમાં કંઇ નહતું કહ્યું. સ્વરૂપે કહ્યું કે અમે ડોઝિયર નથી જોયતું. વિશ્વ તે વાત સારી રીતે જાણે છે કે પાકિસ્તાન આતંકવાદની વધારી રહ્યું છે. એટલું જ નહીં ઉરી હુમલામાં બ્રિટેન, ફ્રાંસ, સાઉદી અરબ સહિત અનેક દેશો સામે આવીને ભારતનો સાથ આપ્યો છે અને હુમલાની નિંદા કરી છે. સ્વરૂપે કહ્યું કે પાકિસ્તાને પોતાની જવાબદારી સમજતા આતંકવાદ સામે પગલા લેવા જોઇએ.












Click it and Unblock the Notifications
