કર્ણાટકમાં સીએમના કાર્યક્રમમાં મંત્રી અને કોંગ્રેસ સાંસદ ડીકે સુરેશ આવ્યા સામસામે
કર્ણાટકના રામનગરામાં સોમવારે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ પહોંચ્યા હતા. જ્યારે કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે કોંગ્રેસના સાંસદ ડીકે સુરેશ સ્ટેજ પર જ રાજ્યના મંત્રી ડૉ.સીએન અશ
કર્ણાટકના રામનગરામાં સોમવારે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ પહોંચ્યા હતા. જ્યારે કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે કોંગ્રેસના સાંસદ ડીકે સુરેશ સ્ટેજ પર જ રાજ્યના મંત્રી ડૉ.સીએન અશ્વથનારાયણ સાથે ઘર્ષણમાં પડ્યા હતા. આ પછી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જ્યારે સીએમ બેસીને તેને જોઈ રહ્યા હતા. મામલો ગરમ થતો જોઈ પોલીસ અધિકારીઓ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ મંચ પર પહોંચ્યા. તે જ સમયે, બંનેને શાંત કર્યા અને તેમની સીટ પર બેસાડ્યા હતા.
મળતી માહિતી મુજબ મંત્રી અશ્વત નારાયણ સ્ટેજ પર ઉભા રહીને ભાષણ આપી રહ્યા હતા. જેમાં તેમણે રામનગરમાં થઈ રહેલા વિકાસની ગણતરી કરી હતી. આના પર સાંસદ ડીકે સુરેશના સમર્થકોએ હોબાળો શરૂ કર્યો હતો. જેના કારણે મંત્રીના ભાષણમાં વિક્ષેપ પડ્યો હતો. આ પછી સાંસદ ડીકે સુરેશ પણ પોતાની ખુરશી પરથી ઉભા થઈને મંત્રી પાસે પહોંચ્યા અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. જેના પર ત્યાં હાજર અધિકારીઓ અને આગેવાનોએ બંનેને શાંતિથી બેસાડ્યા હતા.
#WATCH | Karnataka: Congress MP DK Suresh and State Minister Dr CN Ashwathnarayan entered into an altercation on stage over some development works, in presence of CM Basavaraj Bommai at an event in Ramanagara today pic.twitter.com/83YuuBhN8o
— ANI (@ANI) January 3, 2022