મંત્રી ઇન્દરબીર સિંહ નિજ્જર - માન સરકાર અમૃતસરને સુંદર બનવવા માટે ખર્ચ કરશે 6.81 કરોડ
ઇન્દરબીર સિંહ નિજ્જર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વવાળી પંજાબ સરકાર રાજ્યના નાગરિકોને પાયાની સુવિધા અને સ્વચ્છ વાતાવરણ આપવા માટે સંપૂર્ણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
ચંદીગઢ : પંજાબ સરકારમાં મંત્રી ડૉ. ઇન્દરબીર સિંહ નિજ્જર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વવાળી પંજાબ સરકાર રાજ્યના નાગરિકોને પાયાની સુવિધા અને સ્વચ્છ વાતાવરણ આપવા માટે સંપૂર્ણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
આ અંતર્ગત રાજ્યમાં સતત વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ દિશા તરફ એક ડગ ભરતા પંજાબ સરકારે અમૃતસર સુંદરતા વધારવા અને વિકાસ કાર્ય પર લગભગ 6.81 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વધુ વિગતો આપતાં સ્થાનિક સરકારના મંત્રી ડૉ. ઇન્દરબીર નિજ્જરે જણાવ્યું હતું કે, અમૃતસરના બ્યુટિફિકેશન માટે ગુરુ તેગ બહાદુર નગરને લગતી વિવિધ જગ્યાઓ પર બાઉન્ડ્રી વોલનું નિર્માણ કરવામાં આવશે અને ભાઈમાં ઈમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટની ખાલી પડેલી જમીન પર બાઉન્ડ્રી વોલ પણ બનાવવામાં આવશે.
ડૉ. ઇન્દરબીર નિજ્જરે જણાવ્યું હતું કે, ગુરદાસ જી નગરનું નિર્માણ કરવામાં આવશે. તેવી જ રીતે જુદા જુદા ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટમાં સ્ટ્રીટ લાઇટના સમારકામ અને જાળવણી માટે વાર્ષિક મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ પણ કરવામાં આવશે. આ સાથે રેડક્રોસ મહિલા છાત્રાલયના સમારકામ અને નવીનીકરણની કામગીરી પણ કરવામાં આવશે.
ડૉ. ઇન્દરબીર નિજ્જરે જણાવ્યું હતું કે, આ ઉપરાંત અમૃત આનંદ પાર્ક ખાતે 72 મીટર ઊંચા ફ્લેગ માસ્ટનું સંચાલન અને જાળવણી પણ આ વિકાસ કાર્યો હેઠળ કરવામાં આવશે. કબીર પાર્કમાં વોટર સપ્લાય અને સિવરેજ લાઈન નાખવામાં આવશે અને અમૃતસરના વિવિધ સ્થળોએ વોટર સપ્લાય અને સિવરેજની જાળવણીનું કામ પણ કરવામાં આવશે. આ ઉપરાંત 97 એકર બિન-બાંધકામ વિસ્તારમાં ગ્રીન બેલ્ટનો વિકાસ અને અન્ય વિકાસના કામો કરવામાં આવશે.
કેબિનેટ મંત્રી ડૉ. નિજ્જરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકાર રાજ્યના લોકોનું જીવન સરળ બનાવવા અને સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવાનું વિઝન ધરાવે છે. કેબિનેટ મંત્રી ડૉ. નિજ્જરે જણાવ્યું હતું કે, આ વિકાસ કાર્યો માટે ઈ-ટેન્ડર પંજાબ સરકારની વેબસાઈટ www.eproc.punjab.gov.in પર પહેલાથી જ પ્રકાશિત થઈ ચૂક્યા છે. જો આ ટેન્ડરોમાં કોઈ સુધારો કરવામાં આવશે, તો તેની સંપૂર્ણ માહિતી આ વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે.
કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની પંજાબ સરકાર રાજ્યના લોકોને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ આપવા માટે પ્રતિબદ્ધ છે. આથી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા કોઈપણ અધિકારી કે કર્મચારીને કોઈપણ ભોગે બક્ષવામાં આવશે નહીં.